
Air India Mumbai Ahmedabad flights canceled: એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વારંવાર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પછી સતત તપાસ બાદ ઘણી ગેરરીતિઓ બહાર આવી રહી છે. મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે રદ કરવામાં આવી હતી. તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
આ ઘટનાને લીધે મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી, જેના પરિણામે ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, ગત રાત્રે 10:45 વાગ્યે મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે 12:30 વાગ્યે ટેકઓફ માટે રનવે તરફ જઈ રહી હતી, ત્યારે ટેક્નિકલ ખામીના કારણે તેને રોકવામાં આવી. એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મુસાફરોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને ફ્લાઈટ ટેકઓફ ન કરવા જોરદાર વિરોધ કર્યો.
મુસાફરો અને સ્ટાફ વચ્ચે ગરમાગરમી
આ ઘટના બાદ મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. મુસાફરોએ ટેક્નિકલ ખામીની ગંભીરતા અંગે સવાલ ઉઠાવ્યા અને ફ્લાઈટ ઉપાડવા સામે વાંધો દર્શાવ્યો. આખરે, રાત્રે 1:00 વાગ્યે પાઈલટે ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરી, અને વિમાનને પરત એરપોર્ટ ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યું.
આ દરમિયાન, મુસાફરોએ એર ઈન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો કે ટેક્નિકલ ખામીની જાણકારી ગ્રાઉન્ડ પર જ સમયસર આપવામાં આવી. આના કારણે મોટી દુર્ઘટના ટળી શકી. જોકે, ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી, અને ઘણાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. એર ઈન્ડિયા દ્વારા હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ
હાલ જાણવા મળી રહ્યું છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ
મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં