
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા પર પથ્થરમારો કરવાની ઘટનામાં ગઈકાલે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે લોકોના વિરોધ વચ્ચે પોલીસે વધુ 3 આરોપીઓને દબોચી લીધા છે. કુલ 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં 23મી ડિસેમ્બરના રોજ અજાણ્યા શખ્સો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો બનાવ બન્યો હતો. તે બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ખોખરા બંધનું એલાન અપાયું હતુ. ત્યારે ગઈકાલે 2 અને 3 મળી કુલ 5 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસની 20 જેટલી ટીમો આરોપીઓની તપાસમાં લાગી હતી અને ઘાણાં માત્રામાં સીસીટીવી ખંગાળ્યા બાદ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની વાત કરવમાં આવે તો આ પાંચેય શખ્સોએ ખોખરા વિસ્તરામાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી નાખી હતી. પ્રતિમાના નાકને નુકસાન પહોંચાડ્યું હતુ. જેથી ભારે વિરોધ થયો હતો. જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યા છે.
ત્યારે હવે ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થતા ધરણા પૂર્ણ કરાયા છે. પ્રતિમાનું નાક તોડનાર 2 આરોપીઓનું સરઘસ કાઢી પોલીસે સરઘસ કાઢી માફી મગાવી હતી. જ્યારે હાલમાં વધુ 3 આરોપીને ધરપકડ કરાઈ છે.