Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • World
  • March 24, 2026
  • 0 Comments

પ્લુટોનિયમની અસરો 24,000 વર્ષ સુધી રહે છે! અમેરિકાના અખતરા હવે દુનિયાને ભારે પડવાના છે!

Atomic Bomb: પેસિફિક મહાસાગરમાં માર્શલ ટાપુઓમાં એનવેટાક એટોલના વાદળી પાણીની વચ્ચે એક સફેદ કોંક્રિટ ગુંબજ (Dome) બનેલો છે,જેને દુનિયા રનિટ ડોમ (Runit Dome) તરીકે ઓળખે છે, દરિયામાં બનાવેલી વિશાળ સિમેન્ટ કોન્ક્રીટની આ કોઈ સામાન્ય બિલ્ડીંગ નથી પણ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલા ડઝનેક પરમાણુ પરીક્ષણોનો ભયાનક કાટમાળ આ કોન્ક્રીટ બિલ્ડીંગ નીચે દટાયેલો છે. થોડા દિવસો પહેલા પ્રકાશિત થયેલા અહેવાલોએ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે. આ 50 વર્ષ જૂના આ “મૃત્યુના કિલ્લા”માં હવે તિરાડો પડવા લાગી છે. નિષ્ણાતોને ડર છે કે જો આ બિલ્ડીંગ તૂટી પડશે, તો તેની અંદર રહેલો 120,000 ટનથી વધુ પરમાણુ કચરો સીધો સમુદ્રમાં પ્રસરી જશે તેનાથી તબાહી મચી શકે છે.

આપને જણાવી દઈએકે શીત યુદ્ધ દરમિયાન 1946 થી 1958 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે માર્શલ ટાપુઓમાં 67 પરમાણુ વિસ્ફોટ કર્યા હતા. આ વિસ્ફોટોથી બચેલી કિરણોત્સર્ગી રાખ અને કાટમાળને સાફ કરવા માટે 1970 ના દાયકામાં એક વિશાળ ખાડો બનાવવામાં આવ્યો હતો. આ ખાડો પરમાણુ કચરાથી ભરવામાં આવ્યો હતો અને પછી તેના ઉપર 18 ઇંચ જાડા કોંક્રિટનું પડ ચડાવી ઢાંકી દેવામાં આવ્યો હતો. આને “કોંક્રિટ કબર” અથવા પરમાણુ કબર તરીકે ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ કોન્ક્રીતના આ વિશાળ ગુંબજમાં કરોળિયાના જાળા જેવી તિરાડો જોઈ છે. તેઓ આના બે મુખ્ય કારણો જણાવે છે. પ્રથમ આબોહવા પરિવર્તનને કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ખારા પાણી ગુંબજનો પાયો નબળો પડી રહ્યો છે. બીજું, જ્યારે તે બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેનો હેતુ કામચલાઉ ઉકેલ તરીકે હતો પરંતુ હવે 50 વર્ષ પછી, કોંક્રિટની વેલીડીટી ખતમ થઈ ગઈ છે.

આ વિશાળ ગુંબજ નીચે પ્લુટોનિયમ-239 જેવા અત્યંત ખતરનાક કિરણોત્સર્ગી તત્વો છે. તે એટલું ઝેરી છે કે એક ચપટી પણ હજારો લોકોને મારી શકે છે. પ્લુટોનિયમની અસરો 24,000 વર્ષ સુધી રહે છે, જે માનવ સંપર્કમાં આવવાથી ભયાનક પરિણામો આવી શકે છે ઉપરાંત દરિયામાં દૂર દૂર સુધી દુનિયાભરમાં અસર કરી શકે છે જેમા વિશાળ દરિયામાં વિચરતા સમુદ્રી જીવો અને માછલીઓ દ્વારા માનવ ખોરાક શૃંખલામાં પ્રવેશી શકે છે, જેનાથી અસાધ્ય રોગો કે કેન્સર અને જન્મજાત રોગોનું જોખમ ઝડપથી વધી વધશે અને માનવ જિંદગીઓ માટે ખતરો ઉભો કરશે.

આ મુદ્દાએ રાજકીય વિવાદ પણ ઉભો કર્યો છે. માર્શલ આઇલેન્ડ સરકાર કહે છે કે આ ગંદકી યુનાઇટેડ સ્ટેટ્સની છે અને તેઓએ તેનો કોઈ નિવેડો લાવવો જોઈએ બીજી તરફ અમેરિકાનું કહેવુ છે કે ગુંબજનો બહારનો ભાગ પહેલેથી જ એટલો પ્રદૂષિત છે કે જો ગુંબજ તૂટી પડે તો પણ તેનાથી કિરણોત્સર્ગના સ્તરમાં ખાસ ફરક પડશે નહીં. જોકે, વૈજ્ઞાનિકો આ દલીલને ખતરનાક માને છે, સ્થાનિક લોકો આ ગુંબજને “ધ ટોમ્બ” કહે છે. રહેવાસીઓને ડર છે કે મોટા તોફાન કે સુનામીની સ્થિતિમાં, તે પત્તાના ઘરની જેમ તૂટી શકે છે. જો આવું થાય, તો પ્રશાંત મહાસાગરનો મોટો ભાગ ડેડ ઝોન બની જશે.

સૌથી મોટી ચિંતા દરિયાની સપાટીમાં વધારો છે, પાણી ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં અને માળખાની નીચે પહોંચી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં, પાણી ઘૂસવાની શક્યતા છે. જો આવું થાય તો આ ઝેરી કચરો ફેલાઈ શકે છે, નિષ્ણાતો માને છે કે માળખું તાત્કાલિક તૂટી પડશે નહીં, પરંતુ વાસ્તવિક ખતરો ધીમે ધીમે લીક થવામાં રહેલો છે. આનો અર્થ એ છે કે સમય જતાં, ઝેરી તત્વો પાણીમાં ઓગળી શકે છે, તેની ભયંકર અસરો થવાની દહેશત ઉભી થઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
  • June 27, 2026

Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 3 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી