
Trade Deal: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારને લઈ ખેડૂતોમાં વિરોધ શરૂ થયો છે, ખેડૂતો પોતાના અધિકારોના રક્ષણ માટે એક થઈ રહયા છે.
ખેડૂતોનું કહેવું છે કે ટ્રેડ ડિલ મામલે સરકાર દાવો કરી રહી છે કે કૃષિ ક્ષેત્રને આ સોદાથી દૂર રાખવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ યુએસ કૃષિ મંત્રીના નિવેદનો આનાથી સંપૂર્ણપણે વિપરીત છે યુએસ કૃષિમંત્રી પોતાના દેશના કૃષિ ઉત્પાદનો ભારતમાં નિકાસ થવાની વાત કરી રહયા છે.
ત્યારે હવે સવાલ એ થાય કે જો અમેરિકાથી સસ્તા કૃષિ ઉત્પાદનો અને સોયાબીન તેલની આયાત શરૂ થશે, તો ભારતીય ખેડૂતોના પાકના બજાર ભાવમાં ભારે ઘટાડો થશે, જેના કારણે ખેડૂતો દેવાના દલદલમાં વધુ ફસાઈ જશે.
અમેરિકામાં ખેડૂતોને મોટી સબસિડીનું ઉદાહરણ આપતા ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ભારતીય ખેડૂતોની તુલનાત્મક પરિસ્થિતિ ચિંતા જનક છે.
આ અંગે હવે ખેડૂતો આંદોલન કરનાર છે ત્યારે હાલ ખેડૂતોમાં કેવો માહોલ છે અને તેઓની આગામી રણનીતી અંગે વરીષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસે ખેડૂતોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો જુઓ વિડીયો






