અમેરિકાનો યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો, 19ના મોત, ટ્રમ્પે શું કહ્યું?

  • World
  • March 16, 2025
  • 0 Comments

અમેરિકાએ યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડના આદેશ બાદ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે અમેરિકાએ કરેલા હવાઈ હુમલાથી 19 લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પે ચેતવણી આપી છે કે લાલ સમુદ્રમાં જહાજો પરના હુમલાઓને કારણે હુતીઓનો નાશ થશે.

ગાઝા પટ્ટીની નાકાબંધીને કારણે હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં ઇઝરાયલી જહાજો પર ફરીથી હુમલો કરવાની ધમકી આપી હતી. જે બાદ અમેરિકાએ આ કાર્યવાહી શરૂ કરી છે.

અગાઉ હુતીઓએ કહ્યું હતું કે યમનની રાજધાની સના પર યુએસ હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા અને 9 ઘાયલ થયા હતા. હુતી સંચાલિત અલ મસિરાહ ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઉત્તરીય પ્રાંત સાદા પર યુએસ હુમલામાં 6 અન્ય લોકો માર્યા ગયા છે. મૃતકોમાં 4 બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

બોમ્બમારાથી 4 વિસ્તારો નાશ પામ્યા

અહેવાલો અનુસાર યુએસ યુદ્ધ વિમાનોએ યમનમાં ઓછામાં ઓછા 4 વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. ખાસ કરીને રાજધાની સનાની ઉત્તરે આવેલા રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો છે.

આ હુમલાઓ પહેલા ટ્રમ્પે હુતી બળવાખોરો સામે ‘નિર્ણાયક અને શક્તિશાળી’ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે હુતીઓ પર આરોપ લગાવ્યો હતો કે અમેરિકન જહાજોને નિશાન બનાવીને ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદ ફેલાવે છે.

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “આજે, મેં યુનાઇટેડ સ્ટેટ્સની સેનાને યમનમાં હુતી આતંકવાદીઓ સામે નિર્ણાયક અને શક્તિશાળી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અમેરિકન અને અન્ય જહાજો, વિમાનો અને ડ્રોન સામે ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદનું અભિયાન ચલાવ્યું છે.”

આ પણ વાંચોઃ વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન

 

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 6 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 13 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 24 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 28 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 28 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 37 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?