Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

  • Gujarat
  • February 26, 2025
  • 0 Comments
  • જમીન વિવાદમાં ભાજપ સરાકર પર સવાલ
  • કોના કહેવાથી કરાયા પરિપત્રો?
  • સરકારે ઓછી કિંમતે જમીન આપવામાં કેમ રસ દાખવ્યો?

Anand Land Issue: આણંદ જીલ્લામાં આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુથી આપી દેતાં વિવાદ થયો છે. રૂ. 113.76 કરોડ જેટલી મોટી રકમની જમીન માત્ર 37.48 કરોડમાં સરકાર જમીન વેચી  દીધી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચિમકી  ગ્રામજનોએ ઉચ્ચારી છે. કહાનવાડી ગામે હાલ વહીવટદારનું સાશન છે. ત્યારે જમીન વિવાદને લઈ ગામમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

જમીન મફતના ભાવે ફાળવી દેવાતાં વિવાદ

આંકલાવ તાલુકાના કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થઈ હતી. ગ્રામજનોએ પૂછપરછ કરતાં વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેકટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો. જેમાં કહાનવાડીની વિવિધ સરકારી પડતરની જમીન હેક્ટર 37-38-75 ચોરસ મીટર એટલે કે અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે  સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવી હતી.

આ જમીનની કિંમત સરકારે રૂ. 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે. જો કે તેની કિંમત વધુ થાય છે. ત્યારે ઓછી કિંમતમાં જમીન પધરાવી દેતાં ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે. ગ્રામજનોનો આરોપ છે કે સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક કાર્ય માટે અંદાજિત 237 વીઘા જમીન બારોબાર ગ્રામજનોની મંજૂરી વિના ફાળવી દેવાઈ છે. જેનો પરિપત્ર સરકારમાંથી આવ્યો છે.

મોઘી જમીન મામૂલી રકમમાં વેચીઃ ગ્રામજનો

ગ્રામજનોના જણાવ્યાનુસાર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના કોતરોમાં આવેલ જમીનના એક વીઘાનો 50થી 75 લાખ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. ત્યારે સરકારે માત્ર વિઘાદીઠ 16 લાખમાં જમીન વેચી દીધી છે.

સમગ્ર મામલો બહાર કેવી રીતે આવ્યો?

જાણવા મળતી વિગતો અનુસાર મહેસુલ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: આરડી-એલએનડી-ઇ ફાઇલ-15-2023-15157 -એ, તા. 29 જાન્યુ.2025ના સંદર્ભ પત્ર સાથે તા.3 ફેબ્રુ.2025ના રોજ આણંદ કલેકટરને હુકમ મોકલાયો હતો. કલેકટરે નોંધ સાથે કરેલ આદેશનું ચીટનીશ ટુ કલેકટર દ્વારા પાલન કરીને સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટના વ્યસ્થાપકને પત્ર લખીને જાણ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, કહાનવાડી ખાતેની સરકારી પડતર જમીન કુલ 37-38-65 ચો.મી. જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવતી દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઇ ગયાનું અને પરિપત્રમાં જણાવ્યા મુજબ 37.50 કરોડ દિન-30માં જમા કરાવીને કલેકટર કચેરીએ ચલણ રજૂ કરવું.આ પત્ર મળતાં મહેસુલ ભરવા રાજકોટ ગુરુકુળના વ્યવસ્થાપક કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે આવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. ત્યાર બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

ભાજપ પર આરોપ?

કહાનવાડી ગામની આ રીતે જમીન ફાળવી દેવાતાં ભાજપ પાર્ટી પર સવાલો ઉભા થયા છે. આરપો છે કે કહાનવાડી ગામમાં વહીવટદારનું શાસન હોવાથી ભાજપે લાભ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી આણંદ કલેક્ટર અને જમીન માપણી વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે.

 

 

આ પણ વાંચોઃ SURAT: શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ ભભૂકી, ગઈકાલે 1 વ્યક્તિનું થયું હતુ મોત

આ પણ વાંચોઃ Sanoj Mishra: મોનાલિસાની કરિયર બર્બાદ કરવાનો આરોપ લાગતાં ફિલ્મ ડિરેક્ટર ભડક્યા, 5 લોકો સામે નોંધાવી FIR, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

 

 

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 18 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 7 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!