Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

  • Gujarat
  • February 26, 2025
  • 0 Comments
  • જમીન વિવાદમાં ભાજપ સરાકર પર સવાલ
  • કોના કહેવાથી કરાયા પરિપત્રો?
  • સરકારે ઓછી કિંમતે જમીન આપવામાં કેમ રસ દાખવ્યો?

Anand Land Issue: આણંદ જીલ્લામાં આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુથી આપી દેતાં વિવાદ થયો છે. રૂ. 113.76 કરોડ જેટલી મોટી રકમની જમીન માત્ર 37.48 કરોડમાં સરકાર જમીન વેચી  દીધી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચિમકી  ગ્રામજનોએ ઉચ્ચારી છે. કહાનવાડી ગામે હાલ વહીવટદારનું સાશન છે. ત્યારે જમીન વિવાદને લઈ ગામમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

જમીન મફતના ભાવે ફાળવી દેવાતાં વિવાદ

આંકલાવ તાલુકાના કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થઈ હતી. ગ્રામજનોએ પૂછપરછ કરતાં વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેકટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો. જેમાં કહાનવાડીની વિવિધ સરકારી પડતરની જમીન હેક્ટર 37-38-75 ચોરસ મીટર એટલે કે અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે  સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવી હતી.

આ જમીનની કિંમત સરકારે રૂ. 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે. જો કે તેની કિંમત વધુ થાય છે. ત્યારે ઓછી કિંમતમાં જમીન પધરાવી દેતાં ગ્રામજનો હવે લડી લેવાના મૂડમાં છે. ગ્રામજનોનો આરોપ છે કે સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક કાર્ય માટે અંદાજિત 237 વીઘા જમીન બારોબાર ગ્રામજનોની મંજૂરી વિના ફાળવી દેવાઈ છે. જેનો પરિપત્ર સરકારમાંથી આવ્યો છે.

મોઘી જમીન મામૂલી રકમમાં વેચીઃ ગ્રામજનો

ગ્રામજનોના જણાવ્યાનુસાર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના કોતરોમાં આવેલ જમીનના એક વીઘાનો 50થી 75 લાખ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. ત્યારે સરકારે માત્ર વિઘાદીઠ 16 લાખમાં જમીન વેચી દીધી છે.

સમગ્ર મામલો બહાર કેવી રીતે આવ્યો?

જાણવા મળતી વિગતો અનુસાર મહેસુલ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: આરડી-એલએનડી-ઇ ફાઇલ-15-2023-15157 -એ, તા. 29 જાન્યુ.2025ના સંદર્ભ પત્ર સાથે તા.3 ફેબ્રુ.2025ના રોજ આણંદ કલેકટરને હુકમ મોકલાયો હતો. કલેકટરે નોંધ સાથે કરેલ આદેશનું ચીટનીશ ટુ કલેકટર દ્વારા પાલન કરીને સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટના વ્યસ્થાપકને પત્ર લખીને જાણ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, કહાનવાડી ખાતેની સરકારી પડતર જમીન કુલ 37-38-65 ચો.મી. જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવતી દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઇ ગયાનું અને પરિપત્રમાં જણાવ્યા મુજબ 37.50 કરોડ દિન-30માં જમા કરાવીને કલેકટર કચેરીએ ચલણ રજૂ કરવું.આ પત્ર મળતાં મહેસુલ ભરવા રાજકોટ ગુરુકુળના વ્યવસ્થાપક કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે આવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. ત્યાર બાદ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

ભાજપ પર આરોપ?

કહાનવાડી ગામની આ રીતે જમીન ફાળવી દેવાતાં ભાજપ પાર્ટી પર સવાલો ઉભા થયા છે. આરપો છે કે કહાનવાડી ગામમાં વહીવટદારનું શાસન હોવાથી ભાજપે લાભ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી આણંદ કલેક્ટર અને જમીન માપણી વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે.

 

 

આ પણ વાંચોઃ SURAT: શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ ભભૂકી, ગઈકાલે 1 વ્યક્તિનું થયું હતુ મોત

આ પણ વાંચોઃ Sanoj Mishra: મોનાલિસાની કરિયર બર્બાદ કરવાનો આરોપ લાગતાં ફિલ્મ ડિરેક્ટર ભડક્યા, 5 લોકો સામે નોંધાવી FIR, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

 

 

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!