
Anand: આણંદ પાસે આવેલા વિદ્યાનગર રેલવે સ્ટેશનના જાહેર શૌચાલયમાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતાં રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક આશરે 50 વર્ષની ઉંમરનો હોવાનું તારણ છે. જેથી તેના વાલી-વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી સામે આવ્યુ નથી કોની લાશ છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે અને વિદ્યાનગર પોલીસ દોડી આવી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી છે. પોલીસ હવે મૃતકની ઓળખ, તેના ગામ અને મૃત્યુનું કારણ જાણવા તપાસ કરી રહી છે. સાથે જ મૃતકના વાલી-વારસોની શોધખોળ આરંભી છે.
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy
આ પણ વાંચોઃ PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ