
અમરેલીમાં બનાલે લેટરકાંડ પછી પાટીદાર યુવતીનું રિન્સ્ટક્સનના નામે કાઢવામાં આવેલા સરઘસનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી.
આ મુદ્દે વિવાદ સતત વધી રહેલા વિવાદ વચ્ચે બનાવટી લેટરકાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીને કાયમી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દીલીપ સંઘાણીને આ બાબતે રજૂઆત કરી હતી. આ વચ્ચે પાટીદાર દીકરીને કોર્ટે 15 હજારના બોન્ડ ઉપર જામીન આપી દીધા છે. આમ પાંચ દિવસ બાદ પાટીદાર દીકરીનો જેલમાંથી છૂટકારો થયો છે.
આ રજૂઆત બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય કરીને બેંકની બોર્ડ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો કે, જેલમુક્તિ બાદ પીડિત દિકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી શરૂ કરી શકે છે.
આ નિર્ણયને બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા દીલીપ સંઘાણીના આ પ્રસ્તાવને આવકાર્યો છે. આ અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ભાવના ગોંડલીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, દીકરીના કાઢેલા વરખોડા બાદ રાજ્યના સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિપક્ષ સહિત તમામ પાર્ટીઓના નેતાઓ પણ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. તો યુવા કોંગ્રેસના યુવાઓ દ્વાર હર્ષ સઘવીને માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો- ઈટાલિયા આવ્યા પાટીદાર યુવતીના સમર્થનમાં: પૂછ્યું દુષ્કૃત્ય પોલીસકર્મીઓએ કોના કહેવાથી આચર્યું?