
Nirav Modi: પંજાબ નેશનલ બેંકના 6498.20 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદી (Nirav Modi) હજુ પણ યુકેની જેલમાં રહેશે. લંડનની હાઈકોર્ટ નીરવ મોદીની દસમી વખત દાખલ કરાયેલી જામીન અરજી ફગાવી દીધી છે. ભારત સરકારે એવી આશંકા વ્યક્ત કર્યો હતો કે જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ ફરી એકવાર ફરાર થઈ શકે છે. કોર્ટે આ દલીલને ગંભીરતાથી લીધી અને જામીન અરજી ફગાવી દીધી.
ભાગેડુ નીરવ મોદીની 10 મી વખત જામીન અરજી ફગાવાઈ
આ મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા જામીનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેને ભારતની તપાસ એજન્સી CBI તરફથી મજબૂત સમર્થન મળ્યું હતું. ભારત વતી લંડન પહોંચેલી તપાસ અને કાનૂની અધિકારીઓની ટીમે કોર્ટમાં નક્કર દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા.સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે નીરવ મોદીને જામીન આપવાથી માત્ર ન્યાયિક પ્રક્રિયા પર અસર પડશે નહીં પરંતુ ભવિષ્યમાં તેના ફરીથી ભાગી જવાની શક્યતા પણ વધી શકે છે. કોર્ટે આ દલીલોને પૂરતા ગણ્યા અને જામીન નામંજૂર કર્યા છે.
નીરવ મોદી 2019 થી યુકેની જેલમાં છે બંધ
નીરવ મોદી19 માર્ચ, 2019 થી લંડનની જેલમાં બંધ છે. ભારતમાં CBI દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં તેમની ભૂમિકા બદલ ભારતે તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી, જેના માટે યુકેની અદાલત પહેલાથી જ સંમત થઈ ગઈ હતી. હવે મામલો અંતિમ ઔપચારિકતાઓ તરફ આગળ વધી રહ્યો છે.
મેહુલ ચોક્સીનું શું થયું ?
આ કૌભાંડમાં બીજું એક મોટું નામ, મેહુલ ચોક્સી, પણ સમાચારમાં છે. તાજેતરમાં જ બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓ સીબીઆઈ અને ઈડીએ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. મેહુલ ચોક્સી પર બેંક કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો પણ આરોપ છે, અને તેની ધરપકડને ભારત માટે બીજી મોટી રાજદ્વારી અને કાનૂની સફળતા માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
