Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

  • India
  • May 15, 2025
  • 2 Comments

Pakistani Product Ban:ભારત સરકારના કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) દ્વારા તાજેતરમાં ઈ-કોમર્સ કંપનીઓને પાકિસ્તાની ઝંડા અને તેની સાથે સંબંધિત વસ્તુઓના વેચાણને રોકવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ amazon, Flipkart, UbuyIndia, Etsy, The Flag Company અને The Flag Corporation જેવી કંપનીઓને મોકલવામાં આવી હતી, જેમાં તેમને આવા ઉત્પાદનો તાત્કાલિક હટાવવા અને દેશના કાયદાનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ પગલું ખાસ કરીને પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના સંદર્ભમાં લેવામાં આવ્યું હોવાનું જણાય છે, જેમાં રાષ્ટ્રીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રહલાદ જોશીએ શું કહ્યું?

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં મંત્રી પ્રહલાદ જોશીએ આ વેચાણને “અસંવેદનશીલ” ગણાવીને જણાવ્યું હતું કે આવી બાબતો સહન નહીં કરવામાં આવે “તેમણે કહ્યું કે,  ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને આવી બધી સામગ્રી તાત્કાલિક દૂર કરવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સરકાર આવા ઉત્પાદનો વેચવાની મંજૂરી આપશે નહીં. સરકાર ઇચ્છે છે કે ઈ-કોમર્સ કંપનીઓ તાત્કાલિક આ ઉત્પાદનો દૂર કરે અને દેશના કાયદાઓનું પાલન કરે.

આ આદેશ ઈ-કોમર્સ કંપનીઓ માટે ચેતવણી

જોકે, મંત્રી પદમાંએ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે કયો કાયદો તોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની ધ્વજવાળી વસ્તુઓ વેચીને કયા કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે સ્પષ્ટ નથી.આ ઘટના કાશ્મીરના પહેલગામમાં બનેલી એક દુ:ખદ ઘટના પછી બની છે. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. આ સમયે રાષ્ટ્રીય લાગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. CCPAનો આ આદેશ ઈ-કોમર્સ કંપનીઓ માટે ચેતવણી છે. તેમણે ખાતરી કરવી પડશે કે તેમના પ્લેટફોર્મ પર દેશની લાગણીઓને ઠેસ પહોંચાડતી કે કાયદાનું ઉલ્લંઘન કરતી કોઈ પણ પ્રોડક્ટ વેચાય નહીં. આવા કિસ્સાઓમાં સરકાર કડક કાર્યવાહી કરશે.

ઈ-કોમર્સ કંપનીઓએ સાવધાન રહેવું પડશે

આ કિસ્સો દર્શાવે છે કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વેચાતા ઉત્પાદનો પ્રત્યે કેટલી કાળજી રાખવી જોઈએ. તેમણે ખાતરી કરવી પડશે કે તેઓ કોઈપણ રીતે દેશના કાયદા અને લાગણીઓનું ઉલ્લંઘન ન કરે.

આદેશની વિગતો

ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી પાકિસ્તાની ઝંડા અને સંબંધિત સામગ્રી તાત્કાલિક દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે.આ આદેશ ભારતના ગ્રાહક સંરક્ષણ કાયદા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે. કંપનીઓને દેશના કાયદાનું સખત પાલન કરવા જણાવાયું છે.આ આદેશ દેશભરની તમામ ઈ-કોમર્સ કંપનીઓને લાગુ પડે છે, પરંતુ ખાસ કરીને ઉપર જણાવેલી કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે.

વેપારી સંઘની હતી  માંગ

ભારતીય વેપારીઓના પરિસંઘ (CAIT) દ્વારા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને મંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પાકિસ્તાની ઝંડા અને સામગ્રીના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ
    • September 17, 2026

    Modi Birthday Programs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની ઉજવણીને તેમના જાહેર જીવનના 25 વર્ષ સાથે પણ જોડવામાં આવી છે.…

    Continue reading
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ
    • September 17, 2026

    Reporter TV Police Raid: કેરળ પોલીસે બુધવારે, 16 સપ્ટેમ્બરે, કોચીના કલામસ્સેરી વિસ્તારમાં આવેલી Reporter TVની ઓફિસમાં વહેલી સવારે તપાસ કાર્યવાહી કરી હતી. ચેનલના જણાવ્યા અનુસાર, પોલીસ ન્યૂઝરૂમમાં પહોંચી હતી અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 2 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 4 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 7 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    • September 17, 2026
    • 10 views
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    • September 17, 2026
    • 5 views
    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    • September 17, 2026
    • 10 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ