Arrest Warrant: ભાજપ ધારાસભ્ય સી.જે ચાવડાની થઈ શકે છે ધરપકડ? જુઓ શું કહ્યું?

  • Gujarat
  • February 21, 2025
  • 0 Comments
  • ગાંધીનગરની જેમ રાજકોટમાંથી બદનક્ષીનો કેસ પાછો ખેંચાશે
  • બે ધારાસભ્યો વિરુધ્ધ ધરપકડ વોરંટ
  • ધારાસભ્ય સી.જે ચાવડા અને શૈલેષ પરમારની મુશ્કેલીઓ વધી

Arrest Warrant: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્ય સી.જે ચાવડા સામે રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યૂ કરાયું હોવાના અહેવાલ છે. સાથે સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે પણ રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યું હોવાની મિડિયામાં વાત વહેતી થઈ છે.

સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ પર લગાવ્યા હતા. આ મામલે રુપાણી અને ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. ત્યારે હવે આ અંગે કોર્ટે સી.જે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હોવાની વાત સામે આવી છે.

વિજાપુરના  ધારાસભ્ય સી.જે ચાવડાએ કહ્યું ધરપકડ વોરંટ નથી, કોર્ટમાં હાજર રેવાની વાત

કૌભાંડ મામલે ધારાસભ્ય સી. જે ચાવડાએ કહ્યું બે કેસ કોર્ટમાં ચાલતા હતાં અને અગાઉ આ મામલે સમાધાન થઈ ગયું છે. આ ધરપકડ વોરંટ નથી ફક્ત 21 માર્ચના દિવસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ છે. અમારૂ સમાધાન થઈ ચુક્યું છે અને માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.

શૈલેષ પરમારે કહ્યું કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોય શકે…

આ મુદ્દે શૈલેષ પરમાર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં શૈલેષ પરમારે જણાવ્યું કે, બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યાં નહતાં. તેથી કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોય શકે. જે પણ કાયદેસર કાર્યવાહી કોર્ટ તરફથી કરવામાં આવશે તેની સામે અમારા વકીલ દ્વારા કાર્યવાહી કરાશે. ગાંધીનગરમાં જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં જે દાવો કર્યો હતો તે પાછો ખેંચી લીધો હતો, તે જ પ્રકારે રાજકોર્ટ કોર્ટમાં પણ એ જ પેટર્ન દ્વારા દાવો પરત ખેંચી લેવાના છે.

500 કરોડના આરોપમાં થયો હતો બદનક્ષી કેસ  

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને સી.જે ચાવડા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવાયો હતો. જોકે, વિજય રૂપાણી  અને નીતિન ભારદ્વાજ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતાં.   આરોપ તદ્દન ખોટા અને વાહિયાત જણાવી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. જોકે, ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું અને રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.

 

 

આ પણ વાંચોઃ Kutch Accident: કચ્છમાં ભયંકર અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા, ખાનગી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત

આ પણ વાંચોઃ મહાકુંભ: ત્રણ વિવિધ અકસ્માતમાં 16ના મોત; 6 લોકોના એક આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચોઃ Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?

 

 

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 20 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના