
બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ધનપુરા નજીક 27 ડિસેમ્બરની રાત્રે એક કાર સળગી ગઇ હતી. જેમાં એક અજાણી વ્યકિત કારમાં જ ભડથું થઈ ગઈ હતી. વહેલી સવારે જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહના સેમ્પલ લઈ DNA-FSL માટે બીજે મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે માટે મોકલાયા હતા. ત્યારે આ ઘટનાને લઈ ખળભલાટ મચાવતો ખુલાસો થયો છે.
1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા સડયંત્ર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દેવું ચૂકવવા હોવાથી વિમાના 1.26 કરોડ પાસ કરાવવા માટે વેપારીએ સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી દીધી હતી. આ કાર અન્ય વ્યક્તિ પાસેથી ખરીદી હત્યાને અંજામ આપ્યો. અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો એલ.આઇ.સી વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરવા આખું સડયંત્ર રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ઢેલાણા ગામના મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી પ્રવાહી છાંટી કાર સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
3ની ધરપકડ, 1 ફરાર
આ ચકચારી મચાવનાર મામલામાં પોલીસે સડયંત્રણ રચનાર 3 લોકોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાન કરસનજી પરમાર ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી તેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.