
નવા વર્ષના આરંભે જ બનાસકાંઠામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના સુઇગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
26ને ઇજાઓ, 3 લોકોના મોત

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના સુઇગામ નજીક મોડી રાત્રે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસનું પડીકું વળી ગયું હતુ. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજાઓપહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.
બંને વાહનોને છૂટા પાડવા માટે 3 ક્રેઇનની મદદ લેવાઈ હતી. અકસ્માતના પગલે હાઇવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. બનાવની જાણ થતાં વાવ-થરાદ અને ભાભર-સુઇગામની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યારે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.