Bhavnagar: ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ મોરારિબાપુના ગામ લોકોએ સ્વામિનારાયણના સંતોને ભગાડ્યાં

  • Gujarat
  • September 16, 2025
  • 0 Comments

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતો આવતા ભારે વિરોધ થયો છે. મોરારિબાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોને ગામ લોકોએ ગામમાં ઘૂસવા જ ન લીધા અને તેમને પાછા કાઢી મુક્યા હતા.

ગામ લોકોએ સ્વામિનારાયણ સંતોને ભગાડ્યાં

મળતી માહતી મુજબ તલગાજરડા ગામમાં ધર્મને સભા કરવાં આવેલ સ્વામીનારાયણ મંદિરનાં સંતોને ગામમાં ન આવવા જણાવ્યું હતું. આ ગામ પ્રખ્યાત રામકથા વ્યાસ મોરારીબાપુનું વતન છે, અને અહીંના રહેવાસીઓએ સ્પષ્ટ કહ્યું કે જેઓ સનાતન ધર્મને નીચા બતાવે છે, તેમને આ ગામમાં જગ્યા નથી. આ વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં ગામના સરપંચ અને અન્ય લોકો સંતો સાથે તીખી વાતચીત કરતા જોવા મળે છે.

ગ્રામજનોએ વ્યક્ત કર્યો વિરોધ

સમગ્ર વિવાદ વિશે વાત કરવામા આવે તો આશરે ત્રણ દિવસ પહેલાં, સ્વામિનારાયણ મંદિર સંકળિત સંતો એક ‘ઘર સભા’ અને ધાર્મિક પ્રવચન માટે તલગાજરડા ગામ તરફ રવાના થયા હતા. જોકે, જ્યારે તેઓ ગામની સરહદે પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકોએ તેમને રોકી લીધા અને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો, અને સંતોને પાછા ફરવા મજબૂર કર્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના લોકો કહે છે, “તમારું ભાષણ અમને ગમતું નથી. અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં. તમારા ભક્તોને મંદિરમાં બોલાવો.” આ ઘટના ગ્રામજનો અને સંતો વચ્ચેની તંગ વાતચીતને કારણે વધુ તીવ્ર બની, અને આખી ઘટનાને રેકોર્ડ કરીને તેને વાયરલ કરવામાં આવી.

ગામ લોકો કેમ કરી રહ્યા છે વિરોધ?

આ વિરોધની જડ ભૂતકાળના કેટલાક વિવાદોમાં છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવાના આરોપો લગાવાયા છે.

સ્થાનિક લોકોએ સંતોને વ્યસ્ત મુક્તિ તેમજ કતલખાનાં બંધ કરાવવા કીધુ

ગ્રામજનોનું કહેવું છે કે આવા પ્રવચનોથી સનાતન ધર્મનું અપમાન થાય છે, અને તેઓ આવા કોઈપણ પ્રચારને મંજૂરી નથી આપતા. વધુમાં, તેઓએ સંતોને વ્યસ્ત મુક્તિ અને કતલખાના બંધ કરાવવા માટે પણ આગળ આવવાની ચેતવણી આપી.તેમણે કહ્યું “અમે તમારી જોડે કતલખાના રેડ કરવા આવીશું,”

તલગાજરડા ગામ સનાતન ધર્મનું કેન્દ્ર

તલગાજરડા ગામને સનાતન ધર્મનું કેન્દ્ર માનતા રહેવાસીઓ માને છે કે તેમનું ગામ મોરારીબાપુ જેવા મહાન વૈષ્ણવ ગુરુનું વતન છે, જ્યાં કોઈપણ અન્ય સંપ્રદાયને અન્ય ધર્મને નુકસાન પહોંચાડવાની છૂટ નથી.

જૂનો તણાવ ફરીથી સપાટી પર

આ ઘટના સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના જૂના તણાવને ફરીથી સપાટી પર લાવે છે. ભૂતકાળમાં પણ આવા વિવાદો જોવા મળ્યા છે, ગ્રામજનોના આ વિરોધને કેટલાક લોકો સનાતન ધર્મની રક્ષા તરીકે જુએ છે, જ્યારે અન્ય તેને ધાર્મિક વિભાજન તરીકે માને છે. આ ઘટના ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધર્મીય સંવેદનશીલતા અને સંપ્રદાયો વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો:  

 Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ

PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?

IND vs PAK: પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં, પાક. સામે ભારતની જીત છતાં દેશમાં જશ્નનો માહોલ નહીં

Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 13 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 18 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 31 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી