
BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર લોકસભા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા વિધાનસભા) ના મત વિસ્તારોમાં તાજેતરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં સ્થાનિક રહીશોએ “ભાજપને પ્રવેશ બંધ” ના બેનરો પણ લગાવ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ રહ્યો છે.
બોડકદેવ વિસ્તાર, જે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ બંનેના સંયુક્ત પ્રતિનિધિત્વ હેઠળ આવે છે, ત્યાં પણ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. રહીશોનું કહેવું છે કે છેલ્લા ૫ વર્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેખાયા નથી અને તેમના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. દરમિયાન હાલમાં ચૂંટણીઓનો માહોલ છે ત્યારે તે મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








