
સરકાર અંધશ્રધ્ધાને નાથવા અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં તો અંધશ્રધ્ધાને ડામવા કાયદો પણ બનાવાયો છે. ત્યારે જાણે તાત્રિક વિધિઓ કરતાં ભૂવાને કાયદોનો ડર જ ન રહ્યો તેવી રીતે હવે હોસ્પિટલમાં પણ વિધિ કરતાં ડર લાગતો નથી.
ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી છે. જેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલના ICUમાં જઈને ભૂવાએ વિધિ કરાઈ હોવાનું બહાર આવ્યું છે
ઘટના અંગે ઓરોગ્ય મંત્રીનું નિવેદન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ થવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
કહ્યું કે, કોઈ પણ દર્દીના સગાને દાખલ કર્યા હોય તો તેને મળવાની છૂટ હોય જ છે. મેં વીડિયો જોયો છે કે રાત્રે જઈ અને વિધિ કરતા હોય એમ ખ્યાલ આવ્યો છે એટલે સુપ્રિટેન્ડેન્ટ ને ફરિયાદ આપવા જણાવ્યું છે.
ભૂવાએ ડોક્ટરો અને નર્સ સ્ટાફની હાજરીમાં જ તાંત્રિક વિધિ કરી હતી. કડક સિક્યુરિટી વચ્ચે ભૂવો ICU સુધી કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે. જો કે સિવિલ હોસ્પિટલમાં વીડિયોગ્રાફીની મનાઈ હોવા છતા ભૂવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેથી આ મામલે વધુ તપાસ હાથ ધરી આરોપી ભૂવાને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરાઈ છે.