Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar Bandh: બિહારમાં આજ રોજ એનડીએ દ્વારા જાહેર કરાયેલું પાંચ કલાકનું ‘બિહાર બંધ’ રાજ્યના રાજકીય વાતાવરણને ગરમાવી રહ્યું છે. આ બંધનું કારણ દરભંગામાં રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી છે. ભાજપ અને તેના સાથી પક્ષોએ આ મુદ્દાને ‘દેશની દરેક માતાનું અપમાન’ ગણાવી, રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને આરજેડી,એ આ બંધને ભાજપની ગંદી રાજનીતિ’ ગણાવી, તેની ટીકા કરી છે, અને દાવો કર્યો છે કે ભાજપે આ મુદ્દાને ઉછાળીને ચૂંટણી પહેલાં લોકોની લાગણીઓનો દુરુપયોગ કર્યો છે.

ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ

આ બંધ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે, જે દરમિયાન બસ, ઓટો-ટેક્સી, અને કેટલીક રેલ સેવાઓ ખોરવાઈ શકે છે. દુકાનો, મોલ્સ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ પણ બંધ રહેવાની શક્યતા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે દાવો કર્યો છે કે સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય તેવું સુનિશ્ચિત કરવામાં આવશે, અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, બંધનો ઇતિહાસ બતાવે છે કે આવા આયોજનોમાં સામાન્ય જનતા, ખાસ કરીને રોજમદાર મજૂરો, નાના વેપારીઓ, અને વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થાય છે. પરિવહનની અછતથી લોકોને કામ પર જવામાં, બજારમાં ખરીદી કરવામાં, કે શાળા-કોલેજોમાં પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જેમની આજીવિકા રોજની કમાણી પર નિર્ભર છે, તેમના માટે આ બંધ આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.

વિપક્ષે કરી આકરી ટીકા

વિરોધ પક્ષોએ આ બંધની સખત ટીકા કરી છે, દાવો કર્યો છે કે ભાજપ આ મુદ્દાને રાજકીય લાભ માટે ઉછાળી રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે આ બંધને ‘અશુદ્ધ અને અસંનિષ્ઠ રાજનીતિ’નું ઉદાહરણ ગણાવ્યું, જણાવતાં કે ભાજપ ‘મતાધિકાર યાત્રા’ની સફળતાથી બૌખલાઈ ગઈ છે, જેણે 25 જિલ્લાઓમાં 1300 કિલોમીટરનું અંતર કાપ્યું. તેજસ્વીએ કહ્યું, “ભાજપ સત્તામાં છે, છતાં બંધનું આયોજન કરી રહી છે, આ તેમની હતાશા દર્શાવે છે.” તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓએ ભૂતકાળમાં આરજેડી નેતાઓની માતા અને બહેનો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, પરંતુ તેના પર ક્યારેય બંધનું એલાન નથી કર્યું.

રાહુલ ગાંધીને માફી માંગવા કેમ કહેવામાં આવે છે?

કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે, જે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી છે, ભાજપની માંગણીને ફગાવી દીધી અને દાવો કર્યો કે દરભંગાની ઘટનામાં અપશબ્દો બોલનાર વ્યક્તિ ભાજપ સાથે જોડાયેલો છે. બઘેલે કહ્યું, “જ્યારે અમને ખબર નથી કે તે વ્યક્તિ કોણ છે, તો રાહુલ ગાંધીને માફી માંગવા કેમ કહેવામાં આવે છે? ભાજપની આ ષડયંત્રભરી રાજનીતિ છે.” કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ દાવો કર્યો કે દરભંગાના કાર્યક્રમમાં ‘ભાજપના એજન્ટો’એ ઘૂસણખોરી કરી અને ખોટા નારા લગાવ્યા.

રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગયું ? 

કોંગ્રેસે એક એક્સ પોસ્ટમાં ભાજપ પર હુમલો કરતાં કહ્યું, “રાહુલ ગાંધીની યાત્રાથી ભાજપ બૌખલાઈ ગઈ છે, તેથી તેમણે પટનામાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો. આ ઐતિહાસિક ઈમારત છે, જ્યાં સ્વાતંત્ર્ય ચળવળ ચાલી હતી. રાહુલજીની વધતી લોકપ્રિયતાથી ડરીને ભાજપ જાણે છે કે તેઓ આગામી ચૂંટણીઓ હારી જશે”. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી, એક્સ પર લખ્યું, “સત્ય અને અહિંસા હંમેશા જીતે છે… અસત્ય અને હિંસા તેની સામે ટકી શકે નહીં. અમને મારો, તોડો, પરંતુ અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે”.

લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ

ભાજપે આ ઘટનાને ‘માતૃઅપમાન’નું નામ આપી, મોદીની ભાવુક અપીલ દ્વારા લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. મોદીએ એક કાર્યક્રમમાં ભાવુક થઈને કહ્યું, “મારી માતા, જે હવે આ દુનિયામાં નથી, તેનું અપમાન થયું, જે દેશની દરેક માતાનું અપમાન છે”. પરંતુ, વિરોધ પક્ષોએ ભાજપની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

વિરોધી નેતાઓની માતા-બહેનો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી તેનો વિરોધ કેમ નહીં ?

ભૂતકાળમાં ભાજપના નેતાઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અને અન્ય વિરોધી નેતાઓની માતા-બહેનો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જેમાં મોદીએ જાતે ’50 કરોડની ગર્લફ્રેન્ડ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. છત્તીસગઢ ભાજપના પ્રમુખ કિરણ સિંહદેવે રાહુલ ગાંધી પર ‘અશિષ્ટ ભાષા’નો આરોપ લગાવ્યો, પરંતુ બઘેલે પલટવાર કરતાં કહ્યું, “જ્યારે ભાજપ આંગળી ચીંધે છે, ત્યારે તેની ત્રણ આંગળીઓ પોતાની તરફ નિર્દેશ કરે છે”.

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો, એક્સ પર લખ્યું, “બે ગુજરાતીઓ (મોદી અને શાહ) બિહારના 8 કરોડ લોકોના મતાધિકારને છીનવી રહ્યા છે. બિહાર, બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ છે”. આ નિવેદનથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.

ભાજપે બિહારની મહિલા મતદારોને લક્ષ્ય બનાવ્યું

ભાજપે આ ઘટનાને રાજકીય હથિયાર બનાવી, બિહારની મહિલા મતદારોને લક્ષ્ય બનાવ્યા છે, જેઓ રાજ્યની ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એનડીએની મહિલા પાંખ, ખાસ કરીને ભાજપ મહિલા મોરચા, આ બંધનું નેતૃત્વ કરી રહી છે, જે એક રાજકીય ચાલ તરીકે જોવામાં આવે છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ‘મતાધિકાર યાત્રા’ની સફળતાથી ડરી ગયા છે, જે મતદારોના હકની લડાઈને ઉજાગર કરે છે.

અપશબ્દો બોલનાર વ્યક્તિની ધરપકડ, છતા રાજકીય ખેંચતાણ

આ બંધ એક તરફ ભાજપની રાજકીય ચાલ દર્શાવે છે, જેનો હેતુ ચૂંટણી પહેલાં વિપક્ષને ઘેરવાનો અને લોકોની લાગણીઓને ઉશ્કેરવાનો છે. બીજી તરફ, વિરોધ પક્ષોની ટીકા ભાજપની બેવડી નીતિને ઉજાગર કરે છે, જે ભૂતકાળમાં સમાન અપમાનજનક ટિપ્પણીઓ પર મૌન રહી હતી. દરભંગાની ઘટનામાં અપશબ્દો બોલનાર વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે, અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પરંતુ, આ રાજકીય ખેંચતાણમાં સૌથી વધુ નુકસાન સામાન્ય જનતાનું થશે, જે આ બંધના કારણે આર્થિક અને રોજિંદી અસુવિધાઓનો સામનો કરશે.

રાજકીય રોટલા શેકવાની ચાલમાં બિહારની જનતા ફરી પીસાશે

ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવશે. આ બંધ ફક્ત રાજકીય લાભ માટે છે, જેમાં જનતાની અસુવિધા અને આર્થિક નુકસાનની કોઈ ચિંતા નથી. રાજકારણની આ ચેસની રમતમાં, બિહારની જનતા ફરી એકવાર પીસાશે, જ્યારે નેતાઓ તેમની રાજકીય રોટલી શેકવામાં વ્યસ્ત રહેશે.

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર