Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • India
  • October 31, 2025
  • 0 Comments

Bihar Election: બિહાર ચૂંટણી આ વખતે રસ્સાકસીવાળી છે કારણ કે ભાજપ વોટ ચોરીનો આરોપ લાગ્યા બાદ મતદારોમાં પવન પલટાયો છે. ભાજપ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેથી નિષ્ણાંતો માની રહ્યા છે બિહારમાં આ વખતે ભાજપ પડી શકે છે. ત્યારે હવે ચૂંટણી જીતવા અનેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઘણી જગ્યાઓ હિંસા શરુ થઈ ગઈ છે.

 બિહારની રાજધાની પટનામાંથી એક હત્યાના સમાચાર મળ્યા છે. જાળવા મળ્યું છે કે  30 ઓક્ટોબર, 2025ના રોજ રાજધાની પટનાને અડીને આવેલા મોકામામાં દુલારચંદ યાદવ (ઉ.વ. 75) નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. દુલારચંદ તેમના કૌટુંબિક ભત્રીજા પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહ્યા હતા, જેમને જન સૂરજની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી  છે અને તેઓ મોકામાંથી ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન તાલ વિસ્તારમાં અનંત સિંહના સમર્થકો સાથે વિવાદ થયો અને ચૂંટણી હરીફાઈને કારણે દુલારચંદ યાદવને ગોળી મારી દેવામાં આવી. અનંત સિંહ પર ગોળી ચલાવવાનો આરોપ છે, તો કર્મવીર અને રાજવીર નામના બે અન્ય વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે.

દુલારચંદ યાદવના પૌત્ર નીરજ કુમાર આ સમગ્ર હત્યાકાંડના સાક્ષી છે. તેમણે જણાવ્યું કે તેઓ (દુલારચંદ યાદવ) આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે નીકળ્યા હતા. આ વિસ્તારમાં એક જ રસ્તો છે. અનંત સિંહના કાફલાના વાહનો તે રસ્તા પરથી આવી રહ્યા હતા. અમે આ બાજુથી જઈ રહ્યા હતા. અમારી સાથે ઘણા લોકો હતા. અમે આરજેડી માટે પ્રચાર કરી રહ્યા હતા, અને કેટલાક અન્ય લોકો જન સૂરજ માટે પ્રચાર કરી રહ્યા હતા. જન સૂરજના લોકોએ બીજો રસ્તો લીધો. ત્યારબાદ, અમે અનંત સિંહના કાફલાના રસ્તા પર જઈ રહ્યા હતા.

નીરજે આગળ કહ્યું, “અનંત સિંહ એક સડયંત્ર્ ઘડ્યું હતુ. અમારી ગાડી ફિલ્મી ઢબે રોકવામાં આવી હતી. કરમવીર અને રાજવીર આગળની ગાડીમાં હતા. અમે આ બે લોકોને જાણીએ છીએ. તેઓ દાદાના સારા શિષ્યો રહ્યા છે. અનંત સિંહ પાછળની ગાડીમાં હતા. આ પછી  રાજવીર અને કરમવીર દાદાજીને કંઈક કહ્યું અને તેમને આરામથી લઈ ગયા. આ દરમિયાન, અનંત સિંહ પોતે પિસ્તોલ જેવા હથિયાર સાથે બહાર આવ્યા, મેં તે મારી પોતાની આંખોથી જોયું અને તેમને સીધા ગોળી મારી દીધી. દાદાજી નીચે પડી ગયા… તેમને પગમાં ગોળી વાગી હતી. ગોળી એડી ઉપર વાગી હતી. દાદાજી ત્યાં જ પડી ગયા. તેઓ દોડો પૌત્ર દોડો કહેવા લાગ્યા… અમે દોડતા રહ્યા અને પાછળ પણ જોઈ રહ્યા હતા. કરમવીર અને રાજવીર પછી દાદાજીને મારવા લાગ્યા. આ પછી તેઓ ગાડી લઈને તેમના પર દોડવા લાગ્યા.”

આરજેડી ઉમેદવાર વીણા દેવીએ તપાસની માંગ કરી

મોકામાથી આરજેડી ઉમેદવાર વીણા દેવીએ કહ્યું, “તેમનો મોટો દીકરો મારી સાથે છે. ચૂંટણીઓ અલગ હોય છે, પરંતુ મારા પરિવાર સાથે તેનો અલગ સંબંધ છે. આ ઘટનાની જાણ થતાં જ અમે અમારો કાર્યક્રમ બંધ કરી દીધો અને ઘરે આવી ગયા. અમે માંગ કરીએ છીએ કે કેમેરા સામે મેજિસ્ટ્રેટ તપાસ થવી જોઈએ.”

આ હત્યાથી પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ ગુસ્સે

પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે આ હત્યાકાંડ અંગે NDA પર પ્રહારો કર્યા છે. શુક્રવારે (31 ઓક્ટોબર, 2025) તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “બિહાર મહાન NDAના શાસનથી મુક્ત થાય, અને મોકામા મૃત્યુ ફેલાવનારાઓથી મુક્ત થાય.”

માંઝીએ આરજેડી પર આરોપ લગાવ્યો

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ આરજેડી પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે આરજેડીના સભ્યો જાણી જોઈને આવું કરી રહ્યા છે. તેમના મતવિસ્તારમાં, તેમના ટિકરી ઉમેદવાર પર પણ ઇરાદાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આઠથી દસ વાહનોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમના અટારી ઉમેદવારના પ્રચાર વાહનને રોકવામાં આવ્યું હતું. કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.

જન સૂરજ ઉમેદવારે શું કહ્યું?

હત્યા અંગે મોકામા વિધાનસભા મતવિસ્તારના જન સૂરજના ઉમેદવાર પિયુષ પ્રિયદર્શીએ કહ્યું, “…તેમને ખાનગી બંદૂક રાખવાની પરવાનગી કેવી રીતે મળી? તેઓએ અમારી કારની બારીઓ તોડવાનું શરૂ કર્યું. આ પછી, તેઓએ અમારા કાર્યકરોને મારવાનું શરૂ કર્યું. ત્યાં 15-20 લોકો હતા. મેં મારા પોતાના કાનથી 3-4 રાઉન્ડ ફાયરિંગ સાંભળ્યું. તેમને પગમાં ગોળી વાગી હતી અને બાદમાં કાર પલટી ગઈ હતી. આ હત્યા છે. ઘણા લોકો ઘાયલ થયા છે.”

બંને પક્ષે કેસ દાખલ

આ ઘટના અંગે બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યા છે. દુલારચંદ યાદવના પૌત્રના નિવેદનના આધારે, મોકામાના ભદૌર પોલીસ સ્ટેશનમાં અનંત સિંહ અને તેમના બે સમર્થકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વધુમાં, ડઝનબંધ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. જેડીયુ ઉમેદવાર અને મોકામાના મજબૂત નેતા અનંત સિંહે પણ આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરી છે. તેમણે મોકામાના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીના સમર્થકો વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે. એફઆઈઆરમાં લખન મહતો અને બાજો મહતો સહિત પાંચ વ્યક્તિઓના નામ છે.

આ પણ વાંચો:

Gujarat News: ખેડૂતોને મગફળીમાં રૂ. 20 હજાર કરોડનું નુકસાન, કુદરતની થપાટ પછી વેપારીઓ, સરકાર અને તેલ લોબીની ધોળા દિવસે લૂંટ

Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો

  • Related Posts

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
    • August 1, 2026

    Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

    Continue reading
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
    • August 1, 2026

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 5 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 6 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 7 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 7 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 9 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 7 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી