Bihar Election: ગુજરાતને બુલેટ ટ્રેન આપે છે અને બિહારમાં મત માંગવા દોડી આવે છે!’, તેજસ્વી યાદવનો મોદી પર પ્રહાર

  • India
  • October 25, 2025
  • 0 Comments

Bihar Election 2025: હાલ બિહારમાં ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અવનવા પેતરા રચી રહયા છે અને રેવડી કલ્ચર વચ્ચે રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહયા છે તેવે સમયે હાલ પીએમ નરેન્દ્ર મોદીની બિહાર મુલાકાત સામે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, અમે પ્રધાનમંત્રીને પૂછવા માંગીએ છીએ કે તમે છેલ્લા 11 વર્ષથી પ્રધાનમંત્રી છો, પરંતુ તમે બિહારને શું આપ્યું છે.

બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાઘોપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આરજેડી ઉમેદવાર તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બિહાર મુલાકાત પર નિશાન સાધતા કહ્યું કે બિહારના લોકો પરિવર્તન ઇચ્છી રહયા છે પણ બિહારમાં ગુનાખોરી હાલ ચરમસીમાએ પહોંચી છે. આરજેડી નેતાએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતમાં બુલેટ ટ્રેન આપે છે પણ મત માંગવા બિહાર દોડ્યા આવે છે.

તમે ગુજરાતમાં ફેક્ટરીઓ લગાવી છે, પણ તમે બિહારમાં શુ કર્યું છે અને અહીં કઈ કર્યા વગર જીતવા માંગો છો પણ એવું થવાનું નથી. બિહાર દરેક રીતે ગુજરાત કરતાં મોટું છે; દેશમાં દરેક દસમો વ્યક્તિ બિહારનો છે. પ્રધાનમંત્રીએ ફક્ત બિહાર સાથે દગો કર્યો છે,તેમણે બિહારને ગુજરાતને જે આપ્યું તેનો એક ટકા પણ આપ્યો નથી. બિહારના લોકો તેનો જવાબ માંગી રહ્યા છે પણ પ્રધાનમંત્રી પાસે તેનો કોઈ જવાબ નથી.

આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આખું બજેટ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યું છે અને વડા પ્રધાન ફક્ત આવીને આરજેડીને ગાળો આપે છે. અમારી એક બેઠક રદ કરવામાં આવી છે,આ સરમુખત્યારશાહી છે અને અમે સરમુખત્યારશાહી સામે લડતા રહીશું.

તેજસ્વી યાદવે કહ્યું કે અમિત શાહ લઘુમતી સમુદાયને આટલી બધી નફરત કેમ કરી રહ્યા છે, અમેતો લઘુમતિ સમાજના વ્યક્તિને નાયબ મુખ્યમંત્રી બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ વખતે વાતાવરણ મહાગઠબંધન માટે છે અને આ વખતે મહાગઠબંધનની સરકાર બનશે. ગઈકાલે પીએમએ જે કંઈ કહ્યું, બધું નકારાત્મક હતું અને બિહારને બદનામ કરવાનો હેતુ હતો, શું પીએમએ બિહારને કંઈ આપ્યું છે? પીએમ ગુજરાતને બધું આપી રહ્યા છે, બિહારને પીએમએ છેતર્યું છે. મોદીએ ફક્ત બિહારને છેતરવાનું કામ કર્યું હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચો:

Bihar Election: ‘તમે બધી ટિકિટો RSSના સભ્યોને આપી દીધી’, ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાએ રાહુલ ગાંધીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા

Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?

Bihar Election: બિહાર ચૂંટણીમાં ‘મિત્રતા’ બની પડકાર, 7 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને સામને

Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં અશાંત ધારાથી ધાર્મિક વિભાજન વધી ગયું, ભાજપનો કબજો ત્યાં કાયદો લાગુ

IND vs PAK: ‘ધંધો હોય તો નાગરિકોના મોતની કોઈ કિંમત હોતી નથી’, પહેલગામ હુમલો ભૂલી પાકિસ્તાન સાથે મેચ!

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત