
Bihar Election:બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી,આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવને ચૂંટવામાં આવ્યા હતા,સાથેજ ચૂંટણીઓ દરમિયાન થયેલી સંભવિત ગેરરીતિ મામલે કોર્ટમાં અપીલ કરવાનું પણ ચર્ચાયું હતું.
આ બેઠક પટણાના પોલો રોડ સ્થિત તેજસ્વીના નિવાસસ્થાને યોજાઈ હતી.આ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. તેજસ્વીએ આરજેડી નેતાઓ સાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ, તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આરજેડીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહે જણાવ્યું હતું કે તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે,તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા રહેશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણીમાં EVMનો મોટાપાયે દુરુપયોગ થયો છે અને જનતાને અન્યાય થયો છે જેથી ચૂંટણી પરિણામોના ગોટાળા મામલે કોર્ટમાં અપીલ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.
બેઠકમાં ધારાસભ્ય આલોક મહેતાએ કહ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળા થયા છે. તેથી જ આટલું ચોંકાવનારું પરિણામ આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 25 આરજેડી ઉમેદવારો જ જીતી શક્યા હતા.આ મામલે આરજેડી નેતા રામાનુજ યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર દરેક નેતા સાથે વાત કરવામાં આવી હતી. રિપોર્ટ કાર્ડ જોવામાં આવ્યું હતું.આ સાથે ચૂંટણી પરિણામો મામલે કોર્ટમાં જવા અંગે પણ ચર્ચા થઈ હતી.
આ સંદર્ભમાં મહાગઠબંધનના નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. અહીં લાલુ પરિવારમાં ચાલી ર હેલા ઉથલપાથલ વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, સાંસદ મીસા ભારતી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમના ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહ, મજબૂત નેતા સૂરજભાન સિંહ, ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવે ચૂંટણી જીતનારા અને હારનારા ધારાસભ્યોને ફોન કર્યો હતો. બધા આરજેડી નેતાઓ પોતાના રિપોર્ટ કાર્ડ લઈને આવ્યા હતા. બેઠકમાં તેજસ્વીએ બધા ચૂંટણી લડનારા ઉમેદવારો પાસેથી ફીડબેક લીધો. આ પછી, આરજેડી ધારાસભ્યોએ સર્વાનુમતે તેજસ્વી યાદવને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. આરજેડી સૂત્રો કહે છે કે આ બેઠકનો હેતુ એ શોધવાનો હતો કે ભૂલ ક્યાં થઈ? પાર્ટી જે બેઠકો પર ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગઈ તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે, સીમાંચલમાં રાષ્ટ્રીય જનતા દળના મૂળ નબળા પડવાના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







