Bihar Election:બિહાર ચૂંટણીના ‘EVM ગોટાળા’સામે RJD કોર્ટમાં અપીલ કરશે!

  • India
  • November 17, 2025
  • 0 Comments

Bihar Election:બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી,આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવને ચૂંટવામાં આવ્યા હતા,સાથેજ ચૂંટણીઓ દરમિયાન થયેલી સંભવિત ગેરરીતિ મામલે કોર્ટમાં અપીલ કરવાનું પણ ચર્ચાયું હતું.

આ બેઠક પટણાના પોલો રોડ સ્થિત તેજસ્વીના નિવાસસ્થાને યોજાઈ હતી.આ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. તેજસ્વીએ આરજેડી નેતાઓ સાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ, તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

આરજેડીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહે જણાવ્યું હતું કે તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે,તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા રહેશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણીમાં EVMનો મોટાપાયે દુરુપયોગ થયો છે અને જનતાને અન્યાય થયો છે જેથી ચૂંટણી પરિણામોના ગોટાળા મામલે કોર્ટમાં અપીલ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.

બેઠકમાં ધારાસભ્ય આલોક મહેતાએ કહ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળા થયા છે. તેથી જ આટલું ચોંકાવનારું પરિણામ આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 25 આરજેડી ઉમેદવારો જ જીતી શક્યા હતા.આ મામલે આરજેડી નેતા રામાનુજ યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર દરેક નેતા સાથે વાત કરવામાં આવી હતી. રિપોર્ટ કાર્ડ જોવામાં આવ્યું હતું.આ સાથે ચૂંટણી પરિણામો મામલે કોર્ટમાં જવા અંગે પણ ચર્ચા થઈ હતી.

આ સંદર્ભમાં મહાગઠબંધનના નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. અહીં લાલુ પરિવારમાં ચાલી ર હેલા ઉથલપાથલ વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, સાંસદ મીસા ભારતી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમના ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહ, મજબૂત નેતા સૂરજભાન સિંહ, ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવે ચૂંટણી જીતનારા અને હારનારા ધારાસભ્યોને ફોન કર્યો હતો. બધા આરજેડી નેતાઓ પોતાના રિપોર્ટ કાર્ડ લઈને આવ્યા હતા. બેઠકમાં તેજસ્વીએ બધા ચૂંટણી લડનારા ઉમેદવારો પાસેથી ફીડબેક લીધો. આ પછી, આરજેડી ધારાસભ્યોએ સર્વાનુમતે તેજસ્વી યાદવને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. આરજેડી સૂત્રો કહે છે કે આ બેઠકનો હેતુ એ શોધવાનો હતો કે ભૂલ ક્યાં થઈ? પાર્ટી જે બેઠકો પર ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગઈ તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે, સીમાંચલમાં રાષ્ટ્રીય જનતા દળના મૂળ નબળા પડવાના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 16 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 17 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 31 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી