CM નીતિશના નજીકના ગણાતાં નેતાજીને ધોતી પકડી ભાગવું પડ્યું, ગ્રામજનો પાછળ પડવાના આ રહ્યા કારણો | Shravan Kumar

  • India
  • August 27, 2025
  • 0 Comments

Shravan Kumar: બિહારના ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર અને હિલ્સાના ધારાસભ્ય કૃષ્ણ મુરારી ઉર્ફે પ્રેમ મુખિયા પર ગ્રામજનોએ હુમલો કરી દીધો. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઈજાનો ભોગ બન્યા હતા. ગ્રામજનો પાછળ પડતાં મંત્રી શ્રવણ કુમાર ધોતી પકડીને ભાગવું પડ્યું હતુ. શ્રવણ કુમાર મુખ્યમંત્રી નીતિશકુમારના નજીકના ગણાઈ છે.

તાજેતરમાં પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જેમાં આ ગામના લોકો પણ સામેલ હતા. મંત્રી શ્રવણ કુમાર આજે સવારે પીડિત પરિવારને મળવા માટે હિલ્સાના માલવણ ગામ ગયા હતા, ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી મંત્રીને જીવ બચાવી ભાગવું પડ્યું હતુ. જ્યારે  પોલીસકર્મીઓ ઈજાનો ભોગ બન્યો હોવાની વિગતો છે. જેની સારવાર ચાલી રહી છે.

ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં મંત્રીના અંગરક્ષકો અને સમર્થકો પણ ઈજાઓનો ભોગ બન્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ છે. મંત્રી પર હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મંત્રી ધોતી પકડી કાચી કેડીએ ભાગ્યા

મંત્રી શ્રવણ કુમાર પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગામમાં પહોંચ્યા હતા. ગ્રામજનો પણ મંત્રીની રાહ જોઈ રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થતાં જ ગ્રામજનોએ મંત્રી પર હુમલો કરી દીધો. જ્યાથી હેમખેમ મંત્રી બચી ત્યાથી ભાગ્યા. મંત્રીને તેમના સુરક્ષા પોલીસે બચાવી લીધા. જો કે ગ્રામજનોએ પોલીસ પર પણ હુમલો કર્યો. ગ્રામજનોના હુમલામાં સુરક્ષા કર્મચારીઓ અને મંત્રીના સમર્થકો ઘાયલ થયા. પરિસ્થિતિ એવી હતી કે મંત્રીને ધોતી પકડી કાચી કેડીએ ભાગવું પડ્યુ. લગભગ 1 કિલોમીટર સુધી મંત્રીને ભાગવું પડ્યું. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરી રહી છે.

સમગ્ર મામલે મંત્રી શ્રવણ કુમારે શું કહ્યું?

ગ્રામજનો દ્વારા ભગાડવામાં આવતા શ્રવણ કુમારે કહ્યું, અમે લોકોના દુઃખમાં સહભાગી થવા ગયા હતા. જો કેટલાક લોકો ગુસ્સે હોય, તો મને તે વિશે ખબર નથી.” જે લોકો ખોટું કામ કરે છે અને કાયદાનો ભંગ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી ભલે તે વિપક્ષના લોકો હોય કે શાસક પક્ષના.

નેતાજીની પાછળ પડવાનો કારણો!

અપૂરતું વળતર

ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય વળતર અને સહાય મળી નથી. તેઓ સરકાર પાસેથી 25 લાખ રૂપિયાનું વળતર અને મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી રહ્યા હતા.

વહીવટની બેદરકારી

ગ્રામજનોનું કહેવું હતું કે રસ્તાના નિર્માણમાં બેદરકારી અને વહીવટની ઉદાસીનતાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સમયસર નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, જેનાથી તેમનો ગુસ્સો વધ્યો.

મંત્રી અને ધારાસભ્યનું મોડા પહોંચ્યા

ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અકસ્માતના ચાર દિવસ બાદ પણ કોઈ જનપ્રતિનિધિ કે મંત્રી હાલચાલ લેવા આવ્યા ન હતા. જ્યારે મંત્રી અને ધારાસભ્ય આવ્યા, ત્યારે ગ્રામજનોએ તેમની સમસ્યાઓ લાંબા સમય સુધી સાંભળવાની માંગ કરી, પરંતુ મંત્રીના ઝડપથી નીકળી જવાના પ્રયાસથી લોકો વધુ ભડકી ગયા. ગ્રામજનોનો ગુસ્સો ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયાની કામગીરી પર હતો. તેમનું કહેવું હતું કે અકસ્માતના દિવસે ધારાસભ્યના કહેવાથી રસ્તા પરનો જામ હટાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર મદદ મળી ન હતી.

મંત્રી અને ધારાસભ્ય પીડિત પરિવારોને મળવા મલાવાં ગામ ગયા હતા, પરંતુ મુલાકાત બાદ જ્યારે તેઓ ઝડપથી નીકળવા લાગ્યા, ત્યારે નારાજ ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરમારો કરીને તેમના કાફલા પર હુમલો કર્યો.

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

Kutch: ખેડૂતોની મંજૂરી વિના અદાણીની કંપનીએ ખાડા ખોદી નાખ્યા, પોલીસ પર ગંભીર આક્ષેપ!

Vadodara: ગણેશમૂર્તિ પર ઈંડા ફેંકનાર 3 શખ્સો ઝડપાયા, પછી પોલીસે આવા કર્યા હાલ?

Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ

વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત