
Bihar News: બિહારના ભોજપુર જીલ્લાના વડામથક આરાના એક ગામે હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પહેલા પોતાના 4 બાળકોને પોતાનું મનપસંદ ભોજન ખવડાવ્યું હતુ. ત્યારબાદ પિતાએ દૂધમાં ઝેર ભેળવીને બાળકો સાથે પોતે પણ ગગટાવ્યું હતુ. જેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 બાળકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
આ સમગ્ર ઘટના જિલ્લાના બિહિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલવાનિયા ગામમાં બની હોવાનું કહેવાય છે. અરવિંદ કુમાર (બાળકોના પિતા) તેમની પત્નીના મૃત્યુથી દુઃખી હતા. એકલા હાથે 4 બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બની રહ્યો હતો. આનાથી પરેશાન થઈને અરવિંદે મંગળવારે મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતે બાળકો સાથે ઝેર પી લીધું હતુ. ચારમાંથી ત્રણ બાળકો મૃત્યુ મોતને ભેટ્યા છે. પિતા અને એક બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?
પરિવારે દરવાજો જોયું તો…
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના પડોશમાં લગ્ન હતા. જેમાં પરિવાર સહિત આસપાસ રહેતાં લોકો લગ્નમાં ગયા હતા. પરિવારના એક સભ્યએ કહ્યું અમે લગ્નમાં ગયા હાત. જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મેં ઘણી વાર દરવાજો ખખડાવ્યો પણ તે ખુલ્યો નહીં. આ પછી મેં ઘરનો દરવાજો દોડી નાખ્યોહતો. દરવાજો તોડીને અંદર ગયા પછી જે જોયું તેનાથી બધા ચોંકી ગયા હતા. પિતા સહિત 4 બાળકો ગંભીર હાલતમાં પડેલા મળી આવ્યા હતા. આ પછી, બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
‘તેમની પત્નીનું અવસાન થયું હતું અને તેણે લોન લીધી હતી’
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદની પત્નીનું મૃત્યુ લગભગ 8 મહિના પહેલા થયું હતું. તે સમયે તેણે ઘણી લોન લીધી હતી. આ કારણે તે છેલ્લા 8 મહિનાથી પરેશાન રહેતો હતો. કદાચ આ જ કારણે તેણીએ તેના બાળકો સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
પોલીસ તપાસ ચાલુ
હાલમાં આ ઘટનાનું સાચું કારણ જાણી શકાયું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ UP Sambhal Masjid: સંભલ મસ્જિદમાં રંગરોગાન કરવાની મંજૂરી!, અગાઉ કોર્ટે કર્યો હતો ઈન્કાર
આ પણ વાંચોઃ Katch Murder: પેટના ભાગે ઊંડા ઘા મારી 13 વર્ષિય બાળકની હત્યા, 3 સગીરની પૂછપરછ
આ પણ વાંચોઃ Gujarat: સરકારને તાંત્રિકો સામે કાર્યવાહી કરવાનો ઈરાદો કેમ નથી? બાળકીની બલીથી ખળભળાટ
આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના