
BJP: PM નરેન્દ્ર મોદી જોર શોરથી ઉદ્ઘાટન તો કર્યા કરે છે મોટી મોટી વાતો પણ થાય છે અને પાછળથી જે તે પ્રોજેકટ બંધ થઈ જતા હોવાના અનેક કિસ્સા છે ત્યારે એરપોર્ટની બાબતમાં આ વાત બરાબરની લાગુ પડે છે વડાપ્રધાન મોદીએ 28 માર્ચ, 2026ના રોજ જેવરમાં એશિયાના સૌથી મોટા એરપોર્ટ્સમાંના એક એવા ‘નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને મોટી મોટી વાતો પણ કરી છે પણ આ પહેલા જે ઉદઘાટન થયા તેનું શું થયું તે પણ જાણવા જેવું છે.
2021 પછી ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલા 7 નવા એરપોર્ટ્સમાંથી 6 એરપોર્ટ પર હાલમાં બંધ થઈ ગયા છે અહીં નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ ક્યારનીય બંધ થઈ ચુકી છે અહીંના કુશીનગર, આઝમગઢ, અલીગઢ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને ચિત્રકૂટ જેવા એરપોર્ટ્સ પરથી એરલાઇન્સ કંપનીઓએ ઓછી મુસાફર સંખ્યા અને ટેકનિકલ કારણોસર ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે ત્યારે હવે સવાલ થાય કે કરોડો ખર્ચો શુ કામ કર્યો હશે?
આમ,ઉદ્ઘાટન કરવાનું મોટી વાતો કરવાની પછી જેનું ઉદ્ઘાટન થયું હોય તે ભૂલીને બીજું ઉદ્ઘાટન કરવાનું!! હવે ટેકનોલોજી અને મોબાઈલ યુગમાં આ બધું હાસ્યાસ્પદ બની રહ્યું હોવાનું લોકો જણાવી રહયા છે,આવા વિડીયો બનાવી પોસ્ટ કરી રહયા છે અને મોદી સરકારને સવાલ પૂછી રહયા છે.
સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








