
BJP: હાલમાં ધો.10 અને ધો.10ની પરીક્ષાના માહોલમાં બાળકો તૈયારીઓ કરી રહયા છે ત્યારે આવા બાળકોને પોતાના આરાધ્ય દેવ અથવા કુળદેવી ઉપર વિશ્વાસ રાખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ પણ કોઈ ભગવાધારી બાવા અને ધૂતરાઓના ચક્કરમાં નહિ પડવા અને તેવી રીલ નહિ જોવા સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સલાહ આપી છે કારણકે તે સમયની બરબાદી સિવાય કંઈજ નથી.
તેઓએ સમજાવ્યું કે દેશ અને ગુજરાતમાં હિંદુત્વ મુદ્દે હમણાં હમણાં ખૂબ ચાલ્યું છે અને હિન્દૂ ખતરામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં આ વાત 30 વર્ષ પહેલાં કહેવામાં આવી અને ભાજપનું રાજ ચાલુ થયું પણ 30 વર્ષથી સતત હજુ પણ હિન્દૂ ખતરામાં હોવાની વાત હાલમાં ચાલુ છે અને 2050 સુધી પણ હિન્દૂ ખતરામાં રહેવાનો છે.હિંદુત્વની વાતો કરતા કરતા 30 વર્ષ નીકળી ગયા છે અને હજુપણ આ બધું ચાલુ છે.
THE ગુજરાત REPORTના સિનિયર મેહુલ વ્યાસે આ મુદ્દે કહ્યું કે દેશના ભાવિ નાગરિક એવા બાળકોને શિક્ષણની જરૂર છે તેઓને સાચી દિશા કોણ બતાવશે? યોગીથી મોદી સુધી બધાજ બોલે છે કઈક અને કરે છે કઈક!તાજેતરમાં પ્યૂ રિસર્ચ સેન્ટર (Pew Research Center) ના રિપોર્ટ મુજબ, 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમ વસ્તી વધીને આશરે 30 થી 31 કરોડ (લગભગ 18.4% થી 21%) થઈ જશે, જેનાથી ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની શકે છે। જોકે, આ સમયગાળામાં પણ હિન્દુઓ દેશમાં બહુમતીમાં (આશરે 74%) જ રહેશે)રિપોર્ટ મુજબ 2050 સુધીમાં ભારત ઈન્ડોનેશિયાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે।
વર્તમાન સ્થિતિ મુજબ 2011 ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તી લગભગ 17.2 કરોડ (14.2%) હતી, જે 2023 સુધીમાં આશરે 19.7 કરોડ સુધી પહોંચી હોવાનો અંદાજ છે.આમ, આ સર્વે કહે છે તે વાત આગળ કરવામાં આવી રહી છે ત્યારે દેશની સાંપ્રત સ્થિતિ અંગે વરીષ્ઠ પત્રકાર મેહુલભાઈ વ્યાસે જે વિશ્લેષણ કર્યું છે તે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો








