
હવે દેશમાં પત્નીના ત્રાસના સતત કેસ વધ્યા છે. ગુજરાતના બોટાદમાં એક યુવકે પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકોલી લીધી છે. યુવકે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને વિનંતી કરી છે કે ‘એની એવી સ્થિતિ કરજો કે જીંદગીભર યાદ રાખે’. મૃતકના પિતાએ દીકરાની પત્ની વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકની પત્ની સામે આપઘાત માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો છે. આવી જ ઘટના બેંગલુરૂમાં બની હતી. જેમાં એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.
આપઘાત પહેલા વિડિયો બનાવ્યો
ગુજરાતના બોટાદમાં ઝમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું.પતિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મેં અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાની ધરાર ના પાડી દીધી હતી. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી દીધો હતો.
દિકરીએ શું કહ્યું?
મૃતકની દિકરી કહ્યું કે મારી માતાના લીધે જ મારા પિતાએ આપઘાત કર્યો છે. મારી મમ્મી દોઢ મહિનાથી મારા મામાના ઘરે છે. મારા પપ્પાએ સોટીથી મારતાં મામાના ઘરે જતી રહી હતી.
મૃતકના માતાપિતાએ શું કહ્યું?
મૃતકના માતા પિતાના કહેવા મુજબ જયાબેન તેના પતિ સુરેશભાઈ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા. ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોય, સુરેશભાઈ સાથે મારપીટ કરવા અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ પતિ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે પણ વીડિયોમાં મને છેતરીઓ છે જેથી જિંદગીભર સબક દેજો તેઓ વીડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
આ સમાચર પણ વાંચો: UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું








