CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

12 માર્ચ (ભાષા) આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય સંજય સિંહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ભારતીય રેલ્વેમાં 2604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી છે અને સરકારે આ સંદર્ભમાં સ્પષ્ટતા આપવી જોઈએ.

રાજ્યસભામાં રેલ્વે મંત્રાલયના કામકાજ પર ચર્ચામાં ભાગ લેતા સિંહે એમ પણ કહ્યું કે મુંબઈના બાંદ્રામાં એક વિકાસ પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોન પર 834.72 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડ્યું છે, તો બીજી તરફ પ્રોજેક્ટ હજું સુધી શરૂ પણ કરવામાં આવ્યો નથી. તેથી ભારતને સીધો 834.72 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.

સિંહે કહ્યું કે જ્યારે અશ્વિની વૈષ્ણવ રેલ્વે મંત્રી બન્યા ત્યારે દેશભરમાં આશા હતી કે રેલ્વેમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે પરંતુ તે આશા પૂર્ણ થઈ શકી નહીં.

તેમણે કહ્યું કે રેલ્વે અકસ્માતો અને નાસભાગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડ બાદ રેલ્વે મંત્રીને સમયસર તેની જાણ પણ કરવામાં આવી ન હતી.

તેમણે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રેલવે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું કે સરકાર બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેનો વિશે ઘણી વાતો કરે છે, પરંતુ સામાન્ય લોકોને “જાનવરોની જેમ પરિવહન કરવામાં આવી રહ્યા છે. કુંભ મેળા દરમિયાન લોકો એસી કોચના કાચ તોડીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા.”

તેમણે કહ્યું કે કુલીઓ બેરોજગાર થવાનો ભય ઉભો થયો છે અને તેમને સાચવવાની જરૂરત દેખાઈ રહી છે. તેમણે માંગ કરી કે કુલીઓ માટે પગાર અને અન્ય મદદની જાહેરાત કરવામાં આવવી જોઈએ.

આ પણ વાંચો- ભારતના મુસ્લિમો સામાજિક-આર્થિક રીતે ક્યાં ઉભા છે? શું કહે છે નવો રિપોર્ટ?

તેમણે કહ્યું કે દેશભરમાં 19000 કુલી છે અને 2009માં જાહેરાત કરવામાં આવી હતી કે કુલીઓના બાળકોને નોકરી આપવામાં આવશે પરંતુ તે કાર્ય પૂર્ણ થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે રેલ્વેમાં લગભગ ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે જે રેલ સલામતી અને સેવાઓને અસર કરે છે.

  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત