આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

  • આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

રમેશ સવાણી: 4 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે વતનમાં જવા અમદાવાદથી નીકળ્યો. 6.00 વાગ્યાની આસપાસ ધંધુકા પાસે જૈન સાધુ/ સાધ્વીઓ પદયાત્રા કરતા જોવા મળ્યાં. અંધારું હતું. સાધ્વીઓ હવે સફેદ રીફ્લેકટર રાખે છે એટલે દૂરથી વાહન ચાલકને દેખાય છે. આટલા સુધારાથી વાહન અકસ્માતમાં જૈન સાધુ/ સાધ્વીઓના જીવ બચશે.

જૈન સાધુ/ સાધ્વીઓને ધન્યવાદ આપવા પડે. ભૌતિક સુવિધાઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે. ચાલીને જ જાય. ઉંમરને કારણે ચાલી ન શકે તેમના માટે રેંકડી-ગાડી હોય.

એક તરફ આ જૈન સાધુ/ સાધ્વીઓ છે, બીજી તરફ પ્લેન/ હેલિકોપ્ટર/ લકઝરી કાર મારફતે પ્રવાસ કરનારા બાબાઓ/ કથાકારો/ સાધુઓ/ સ્વામિઓ/ મહારાજો/ મહંતો છે. એવા પણ મહંતો છે જે અમિત શાહને 5 કરોડનું ડોનેશન આપે છે ! એવા પણ ભગવાધારી સંતો છે જે હત્યાઓ કરે/ કરાવે છે ! એવા પણ સ્વામિઓ છે જે સજાતીય સંબંધો રાખે છે. એવા પણ બાબાઓ છે જે સગીર બાળાઓનું શોષણ કરે છે !

આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

ધર્મ/ આધ્યાત્મિકતાના ઉપદેશો આપનારા ભૌતિક સુવિધાઓ/ વૈજ્ઞાનિક સુવિધાઓ વિના એક ક્ષણ જીવી શકતા નથી. અપરિગ્રહની વાત કરે/ માયાનો ત્યાગની વાત કરે અને પરિગ્રહ અને માયામાં રચ્યા પચ્યા રહે. દેશ-વિદેશમાં આશ્રમો/ મંદિરો ઊભા કરે ! ધર્મ-આધ્યાત્મિક એમના માટે ઈન્ડસ્ટ્રીઝ જ છે. તેઓ લોકોને ઉપદેશ આપે છે કે ‘ધન સુખ આપી શકતું નથી !’ પરંતુ તેઓનું અંગત જીવન જોઈએ તો લાગે કે પૈસો જ એમના માટે પરમેશ્વર છે ! તેઓ ધનપતિઓ અને સત્તાપક્ષના નેતાઓની હદ વગરની ચાપલૂસી પણ કરે છે.

મહાકુંભમેળામાં સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ માટે VIP સુવિધાઓ છે. તેમની સુવિધાઓ સાચવવા પોલીસ ખડેપગે રહે છે. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ કચડાઈને મરી રહ્યા છે. બાબાઓ સંવેદનાહીન બની નફટાઈપૂર્વક કહે છે કે ‘કચડાઈને મરનારાઓને મોક્ષ મળી ગયો !’ સૌ સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ સરકારની-સત્તાની ચાપલૂસી કરે છે, શ્રદ્ધાળુઓની હાલાકી અંગે કોઈ બોલતું નથી !

સનાતન ધર્મના નામે વૈભવી જીવન જીવનારા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

(રમેશ સવાણી પૂર્વ આઈપીએસ અધિકારી છે, તેમનું એક્સહેન્ડલ @RameshSavani10 છે. વ્યક્ત કરેલા વિચાર વ્યક્તિગત છે)

આ પણ વાંચો- વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!

  • Related Posts

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
    • June 13, 2025

    દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

    Continue reading
    શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
    • June 12, 2025

    medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

    Continue reading

    One thought on “આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ