આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

  • આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

રમેશ સવાણી: 4 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે વતનમાં જવા અમદાવાદથી નીકળ્યો. 6.00 વાગ્યાની આસપાસ ધંધુકા પાસે જૈન સાધુ/ સાધ્વીઓ પદયાત્રા કરતા જોવા મળ્યાં. અંધારું હતું. સાધ્વીઓ હવે સફેદ રીફ્લેકટર રાખે છે એટલે દૂરથી વાહન ચાલકને દેખાય છે. આટલા સુધારાથી વાહન અકસ્માતમાં જૈન સાધુ/ સાધ્વીઓના જીવ બચશે.

જૈન સાધુ/ સાધ્વીઓને ધન્યવાદ આપવા પડે. ભૌતિક સુવિધાઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે. ચાલીને જ જાય. ઉંમરને કારણે ચાલી ન શકે તેમના માટે રેંકડી-ગાડી હોય.

એક તરફ આ જૈન સાધુ/ સાધ્વીઓ છે, બીજી તરફ પ્લેન/ હેલિકોપ્ટર/ લકઝરી કાર મારફતે પ્રવાસ કરનારા બાબાઓ/ કથાકારો/ સાધુઓ/ સ્વામિઓ/ મહારાજો/ મહંતો છે. એવા પણ મહંતો છે જે અમિત શાહને 5 કરોડનું ડોનેશન આપે છે ! એવા પણ ભગવાધારી સંતો છે જે હત્યાઓ કરે/ કરાવે છે ! એવા પણ સ્વામિઓ છે જે સજાતીય સંબંધો રાખે છે. એવા પણ બાબાઓ છે જે સગીર બાળાઓનું શોષણ કરે છે !

આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

ધર્મ/ આધ્યાત્મિકતાના ઉપદેશો આપનારા ભૌતિક સુવિધાઓ/ વૈજ્ઞાનિક સુવિધાઓ વિના એક ક્ષણ જીવી શકતા નથી. અપરિગ્રહની વાત કરે/ માયાનો ત્યાગની વાત કરે અને પરિગ્રહ અને માયામાં રચ્યા પચ્યા રહે. દેશ-વિદેશમાં આશ્રમો/ મંદિરો ઊભા કરે ! ધર્મ-આધ્યાત્મિક એમના માટે ઈન્ડસ્ટ્રીઝ જ છે. તેઓ લોકોને ઉપદેશ આપે છે કે ‘ધન સુખ આપી શકતું નથી !’ પરંતુ તેઓનું અંગત જીવન જોઈએ તો લાગે કે પૈસો જ એમના માટે પરમેશ્વર છે ! તેઓ ધનપતિઓ અને સત્તાપક્ષના નેતાઓની હદ વગરની ચાપલૂસી પણ કરે છે.

મહાકુંભમેળામાં સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ માટે VIP સુવિધાઓ છે. તેમની સુવિધાઓ સાચવવા પોલીસ ખડેપગે રહે છે. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ કચડાઈને મરી રહ્યા છે. બાબાઓ સંવેદનાહીન બની નફટાઈપૂર્વક કહે છે કે ‘કચડાઈને મરનારાઓને મોક્ષ મળી ગયો !’ સૌ સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ સરકારની-સત્તાની ચાપલૂસી કરે છે, શ્રદ્ધાળુઓની હાલાકી અંગે કોઈ બોલતું નથી !

સનાતન ધર્મના નામે વૈભવી જીવન જીવનારા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

(રમેશ સવાણી પૂર્વ આઈપીએસ અધિકારી છે, તેમનું એક્સહેન્ડલ @RameshSavani10 છે. વ્યક્ત કરેલા વિચાર વ્યક્તિગત છે)

આ પણ વાંચો- વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!

  • Related Posts

    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
    • April 28, 2026

    The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

    Continue reading
    Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
    • April 27, 2026

    Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 4 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 9 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 11 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત