chaitar vasava case: ‘ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં રહો’ ભાજપની ચૈતર વસાવાને ખુલ્લી ઓફર!

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ તેમના પર મારામારીનો આરોપ હતો અને આ કારણથી તેઓ હાલ જેલમાં બંધ છે. તેમની જામીન મંજુરી સુનાવણી પણ અટકી ગઈ છે. કેમકે હાઈકોર્ટના વકીલોની હડતાળ તેમને નડી રહી છે. ત્યારે ચૈતર વસાવાને જામીન ન મળતા આપ નેતાઓ ભાજપ પર ભડક્યા છે.

ચૈતર વસાવાને જામીન ન મળતાં રાજકારણ ગરમાયું

આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને જામીન ન મળતાં આદિવાસી સમાજ અને આપ પાર્ટી હવે ઉગ્ર વિરોધ કરી રહી છે. આ મુદ્દે ફરીવાર રાજકારણ ગરમાયું છે. લોકો કહી રહ્યાં છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં રાખવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે. હવે લોકો એ પણ કહેવું છે કે ભાજપની તાનાશાહી સામે ચૈતર વસાવા સાથે આજે આખું ગુજરાત ઊભું છે.

AAP પાર્ટીએ સરકાર પર રોષ ઠાલવ્યો

AAP પાર્ટી તેમની જામીન માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. છતાં જામીન ન મળતાં હવે પાર્ટીએ સરકારનો વિરોધ કરી રોષ ઠાલવ્યો છે. હવે પાર્ટીએ ભાજપને ચારેબાજુથી ઘેરી લીધી છે. અને આકરા આક્ષેપો કરી રહી છે. તેમનું કહેવું છે કે ભાજપ ચૈતર વસાવાને જાણી જોઈને ખોટી રીતે હેરાન કરે છે. કેમકે તે સરકાર વિરુદ્ધ ઉઠતા અવાજને દબાવી દેવા માંગે છે. જેથી ભવિષ્યમાં કોઈ તેમના પર અવાજ ના ઉઠાવે અને સવાલો ન કરે.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

ભાજપનો વિરોધ કરતાં ઈસુદાન ગઢવી  કહે છે કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ સમય જેલમાં રાખવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એવું લાગે છે. કેમકે જે ગ્લાસ કોઈને વાગ્યું નથી, એ ગ્લાસ ફેંકવાના ગુનામાં ચૈતર વસાવા પર અનેક કલમો લગાવી દેવામાં આવી છે અને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.ચૈતર વસાવાને જેલમાં પૂરી રાખવા પાછળ ભાજપનો ઈરાદો સાફ સમજાય છે. ભાજપ આદિવાસી સમાજને મેસેજ આપવા માંગે છે કે ધારાસભ્ય હોવા છતાં ચૈતર વસાવાને જેલમાં પૂરી શકીએ છીએ તો કોઈપણ વ્યક્તિ અવાજ ઉઠાવશે તેને પણ જેલમાં પૂરી દઈશું.વધુમાં તેમણે કહ્યું કે, આમ કરી ભાજપ તેમને ડરાવવા માંગે છે. તેમને ખબર નથી કે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીને ભાજપનો કોઈ ડર નથી. આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા હતા, ભાજપની શું હેસિયત? તમે ચૈતર વસાવાને 5-25 દિવસ જેલમાં રાખી શકો છો પરંતુ એના બદલામાં આદિવાસી સમાજ ભાજપને પોતાના ગામમાં પણ ઘૂસવા નહીં દે કેમકે,આદિવાસી સમાજના એક એક યુવાન આ વાત ખૂણે ખૂણે પહોંચાડે કે કઈ રીતે ભાજપ ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ દિવસ જેલમાં પૂરી રાખવા માંગે છે.

આદિવાસી સમાજ આગામી ચૂંટણીમાં ભાજપને આપશે જવાબ: ઈશુદાન ગઢવી

વધુમાં તેમણે જણાવ્યું કે હત્યારાઓ અને બળાત્કારીઓ જેલની બહાર આવી જાય છે પરંતુ લોકો માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે. આ વાતનો જવાબ આદિવાસી સમાજ આગામી ચૂંટણીઓમાં ભાજપને આપશે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ અને ગરીબોનો વંચિતોનો અવાજ છે જેને અટકાવવો એટલું સહેલું નથી.

ડૉ. કરન બારોટે શું કહ્યું?

ચૈતર વસાવાના જેલવાસ મામલે ડૉ. કરન બારોટનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી, ચૈતર વસાવા સમગ્ર ગુજરાત અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ છે, તે જેલમાં નહી રહે વધારે મજબૂતાઈથી જલ્દી બહાર આવશે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, ભાજપે ચૈતર વસાવાને બે વિકલ્પ આપ્યા છે, ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં જાઓ. જોકે તેમને આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. હવે જયારે તે ન્યાય માટે લડે છે ત્યારે તેમના સાથે આવું વર્તન થાય છે. આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો માટે ભાજપે તેમને જેલમાં નાખ્યા.

ભરુચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ

આ મામલે હવે ભરુચના ભાજપ નેતા મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓને કહે છે કે “ચૈતર સામે બોલો નહીં તો બધા પતી જઈશું”: BJPના નેતાઓ સામે જ ભરુચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને કહ્યું મે એકલા જ તેમની સામે બોલવાનો ઠેંકો નથી લીધો. તેમને ભાજપના અન્ય નેતાઓને ટકોર કરી છે. તેમના આ નિવેદન સામે આપ પાર્ટીને અને આદિવાસી સમાજનું કહેવું છે કે ભરુચવાળા દાદાને ચૈતર વસાવાનો ડર લાગે છે. તેમને ખબર પડી ગઈ છે કે એક હાથથી તાળી નહી પડે.

ચૈતર વસાવા પહેલા પણ ભોગવી ચૂક્યા છે જેલવાસ

ચૈતર વસાવા સાથે આવું પહેલીવાર નથી બન્યું કે તેમને જેલમાં પુરાવવું પડયું હોય. તેમને અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે ચૈતર વસાવા બહાર આવશે અને ડબલ જોરથી અવાજ ઉઠાવશે કે ભાજપની ઓફરનો સ્વીકાર કરશે તે જોવું રહ્યું…

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 4 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!