
Surendranagar: સુરેન્દ્રનગર એસઓજી પોલીસે તાજેતરમાં ગુજરાતમાં બહારથી હથિયારના લાયસન્સ મેળવનાર 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 4 શખ્સો પાસેથી 5 હથિયાર મળી આવ્યા હતા. ગુનાહિત ઇતિસાહ ધરાવતા શખ્સો ખોટા પુરાવા ઉભા કરી હથિયારનું લાયસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યુ હતુ. જાણવા મળી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં લોકો ગમે તેટલા રુપિયા આપી પોતાની પાસે હથિયારો રાખે છે. એક બાજુ આ જીલ્લામાં ખાણ માફિયાઓનું રાજ છે, અહીંથી સૌથી વધુ ગુનાખોરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે અહીં લોકો બંદૂકો જેવા હથિયારો પણ વધુ રાખતાં હોવાનું સામે આવ્યું છે. જાણે સુરેન્દ્રનગર અમેરિકાનું શિકાગો શહેર બની ગયું હોય. આ જ મુદ્દે સુરેન્દ્રનગરના પત્રકાર રાજુદાન અને પત્રકાર દિલિપ પટેલ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. જુઓ આ ખાસ વીડિયો.
આ પણ વાંચોઃ Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’
આ પણ વાંચોઃ Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax
આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi