CJI Gavai News:’બુલડોઝર ન્યાય’ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ:CJI ગવઇનું નિવેદન

  • India
  • November 22, 2025
  • 0 Comments

CJI Gavai News:સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈ તા.23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

21 નવેમ્બર એ જસ્ટિસ ગવઈનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ રહ્યો અને તે પહેલા,સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા, CJI એ કહ્યું કે જ્યારે તેઓ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, ત્યારે તેઓ ખરેખર એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે જે બધા ધર્મોમાં માને છે.

વિદાય સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી.રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના નિર્ણયો પર ખુલીને વાત કરી શકે છે.

આ તકે CJI ગવઈએ ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો અને ઉમેર્યુ કે “‘બુલડોઝર ન્યાય’ એ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે.

કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ લાગવાને કારણે તેનું ઘર કેવી રીતે તોડી શકાય છે? જે આરોપી છે તેના પરિવાર અને માતા-પિતાનો શું દોષ છે? તેના નિર્દોષ પરિવારના આશ્રયનો અધિકારએ એક મૌલિક અધિકાર છે.” તેમણે ઉમેર્યું કે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાર્યપાલિકા (સરકાર) એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી શકે નહીં.

■આ સિવાય CJI ગવઈએ આપેલો અનામત પરનો ચુકાદો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

CJI ગવઈએ આપેલો એક બીજો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો પણ મહત્વનો માનવામાં આવે છે તેઓએ SCs (અનુસૂચિત જાતિ) અને STs (અનુસૂચિત જનજાતિ) માટે નોકરીમાં અનામતનો લાભ આપવા માટે ઉપ-વર્ગીકરણને મંજૂરી આપવાનો ગણાવ્યો હતો.તેમણે કહ્યું, “એ કલ્પના કરવી મુશ્કેલ છે કે એક મુખ્ય સચિવના બાળકોની સરખામણી એક ખેતમજૂરના બાળકો સાથે કેવી રીતે થઈ શકે, જેની પાસે શિક્ષણ કે સંસાધનો સુધી કોઈ પહોંચ નથી.” તેમણે બાબાસાહેબ આંબેડકરને ટાંકીને કહ્યું કે સમાનતાનો અર્થ બધા સાથે સમાન વ્યવહાર કરવો એ નથી, કારણ કે તેનાથી વધુ અસમાનતા પેદા થશે.

કારણકે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ તેમાં કોઈ જાતિ મહત્વની નથી હોતી તે વાત તેઓએ આ રીતે ગણાવી હતી.CJI ગવઈ એ સુપ્રીમ કોર્ટના કાર્યપદ્ધતિ વિશે પણ ખુલીને વાત કરી હતો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની એકમાત્ર કેન્દ્રિય સંસ્થા ન હોવી જોઈએ.સુપ્રીમ કોર્ટ ફક્ત ત્યારે જ સુગમ રીતે કાર્ય કરી શકે કે જ્યારે ન્યાયાધીશો, બાર, રજિસ્ટ્રી અને સ્ટાફ બધા સાથે મળીને કામ કરે.

CJI બીઆર ગવઈએ કહ્યું કે SCBA અને SCAORA હંમેશા બાર સંબંધિત બાબતોમાં સામેલ હોવા જોઈએ.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ
  • June 24, 2026

Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે…

Continue reading
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 1 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને