CJI Gavai News:’બુલડોઝર ન્યાય’ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ:CJI ગવઇનું નિવેદન

  • India
  • November 22, 2025
  • 0 Comments

CJI Gavai News:સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈ તા.23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

21 નવેમ્બર એ જસ્ટિસ ગવઈનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ રહ્યો અને તે પહેલા,સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા, CJI એ કહ્યું કે જ્યારે તેઓ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, ત્યારે તેઓ ખરેખર એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે જે બધા ધર્મોમાં માને છે.

વિદાય સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી.રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના નિર્ણયો પર ખુલીને વાત કરી શકે છે.

આ તકે CJI ગવઈએ ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો અને ઉમેર્યુ કે “‘બુલડોઝર ન્યાય’ એ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે.

કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ લાગવાને કારણે તેનું ઘર કેવી રીતે તોડી શકાય છે? જે આરોપી છે તેના પરિવાર અને માતા-પિતાનો શું દોષ છે? તેના નિર્દોષ પરિવારના આશ્રયનો અધિકારએ એક મૌલિક અધિકાર છે.” તેમણે ઉમેર્યું કે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાર્યપાલિકા (સરકાર) એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી શકે નહીં.

■આ સિવાય CJI ગવઈએ આપેલો અનામત પરનો ચુકાદો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

CJI ગવઈએ આપેલો એક બીજો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો પણ મહત્વનો માનવામાં આવે છે તેઓએ SCs (અનુસૂચિત જાતિ) અને STs (અનુસૂચિત જનજાતિ) માટે નોકરીમાં અનામતનો લાભ આપવા માટે ઉપ-વર્ગીકરણને મંજૂરી આપવાનો ગણાવ્યો હતો.તેમણે કહ્યું, “એ કલ્પના કરવી મુશ્કેલ છે કે એક મુખ્ય સચિવના બાળકોની સરખામણી એક ખેતમજૂરના બાળકો સાથે કેવી રીતે થઈ શકે, જેની પાસે શિક્ષણ કે સંસાધનો સુધી કોઈ પહોંચ નથી.” તેમણે બાબાસાહેબ આંબેડકરને ટાંકીને કહ્યું કે સમાનતાનો અર્થ બધા સાથે સમાન વ્યવહાર કરવો એ નથી, કારણ કે તેનાથી વધુ અસમાનતા પેદા થશે.

કારણકે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ તેમાં કોઈ જાતિ મહત્વની નથી હોતી તે વાત તેઓએ આ રીતે ગણાવી હતી.CJI ગવઈ એ સુપ્રીમ કોર્ટના કાર્યપદ્ધતિ વિશે પણ ખુલીને વાત કરી હતો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની એકમાત્ર કેન્દ્રિય સંસ્થા ન હોવી જોઈએ.સુપ્રીમ કોર્ટ ફક્ત ત્યારે જ સુગમ રીતે કાર્ય કરી શકે કે જ્યારે ન્યાયાધીશો, બાર, રજિસ્ટ્રી અને સ્ટાફ બધા સાથે મળીને કામ કરે.

CJI બીઆર ગવઈએ કહ્યું કે SCBA અને SCAORA હંમેશા બાર સંબંધિત બાબતોમાં સામેલ હોવા જોઈએ.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
  • August 10, 2026

JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 2 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 4 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 4 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 5 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 6 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને