વિવાદ યથાવત: દિયોદર જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી અનેક વિવાદો સામે આવ્યા હતા. આ વિવાદો વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. બે વર્ષથી રાજકીય રીતે બનાસકાંઠા જિલ્લો ચર્ચામાં રહ્યો છે અને હવે તેની ભૂગોળ પણ બદલાવા ગઈ છે. રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2025ના રોજ થરાદને જિલ્લો બનાવવાની વર્ષો જૂની માગ પૂરી કરતા થરાદ-વાવને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આમ નવા વર્ષે જ ગુજરાત નક્શામાં ફેરફાર થયો હતો.

જોકે, થરાદ-વાવને જિલ્લો બનાવવાને લઈને વિરોધ ઉભો થયો હતો. તો ધાનેરાને વાવ-થરાદમાં આપતા તેમને પણ મનદુ:ખ થયું છે. આમ બનાસકાંઠાના વિભાજન પછી પણ અનેકવિધ સમસ્યાઓ સામે આવી રહી છે. આ વચ્ચે દિયોદરના જૈન સમાજે ઓગડ જિલ્લાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તે ઉપરાંત દિયોદર ઓદ્યોગિક વેલફેર એસોસિયને પણ આવેદન આપ્યું છે.

દિયોદરના જૈન સમાજ અને ઓદ્યોગિક વેલફેરે પોતાના આવેદનમાં દિયોદરને વડુમથક બનાવવાની અને ઓગડને જિલ્લો બનાવવાની માગ રાખી છે. આ વચ્ચે ધાનેરાવાસીઓ વાવ-થરાદ જિલ્લાની જગ્યાએ બનાસકાંઠામાં પોતાને રાખવાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે એક ભૂવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ધાનેરા બનાસકાંઠામાં જ રહેશે તેવી વાત કરતો જોવા મળી રહ્યો છે.

વાવ-થરાદ સહિતના વિસ્તારની જનતાએ તો આ નિર્ણયને ખુબ આવકાર્યો. પરંતુ દિયોદર,ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. જ્યારે વાવ-થરાદના લોકોએ પણ જિલ્લાને તેનું ઐતિહાસિક નામ થીરપુર આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો- જામનગર: ધ્રોલના લતીપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત; 3 લોકોના મોત, બે ગંભીર

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 5 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 13 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ