Delhi car bomb attack: દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ખુલ્યુ બાંગ્લાદેશ કનેક્શન,ઢાકામાં ઘડાયું હતું કાવતરું!

  • India
  • November 17, 2025
  • 0 Comments

Delhi car bomb attack:દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી રહ્યું છે.

તપાસ એજન્સીઓને તેના કેટલાક પુરાવા પણ મળ્યા છે.દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પહેલા બાંગ્લાદેશના ઢાકામાં એક ગુપ્ત બેઠક મળી હતી,જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સૈફ સહિત હિઝબુલ-તહરિરના હેન્ડલર્સ, પ્રતિબંધિત અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (ABT) ના સભ્યો સહિત એક વિસ્ફોટક નિષ્ણાત અને બે બાંગ્લાદેશી સરકારી અધિકારીઓ હાજર રહયા હતા.
આ બેઠકમાં ભારતમાં આતંકી હુમલાઓ કરવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ બેઠક સાથે જોડાયેલી એક ટીમ નવેમ્બરની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ થઈને ભારતમાં પ્રવેશી હતી અને એબીટી સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા ઘરમાં રોકાઈ હતી.
તપાસ એજન્સીઓ પાકિસ્તાનથી દિલ્હી-એનસીઆરમાં કોઈ વિસ્ફોટક મોકલવામાં આવ્યા હતા કે કેમ?તે દિશામાં તપાસ કરી રહી છે.

ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડવા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઢાકામાં થયેલી બેઠકમાં સૈફુલ્લાહ સૈફ ઉપરાંત ઝુબૈર અહેમદ (હિઝબુલ-ઉલ-તહરિરના ઢાકા વડા), ઇબ્તિસમ ઇલાહી ઝહીર (સૈફના નજીકના સહયોગી અને મરકઝીજમિયત-અહલ-એ-હદીસના મહાસચિવ), હાફિઝ શુજાદુલ્લાહ અને હાફિઝ અલી ફઝુલ (અંસારુલ્લાહ બાંગ્લા ટીમના આતંકવાદીઓ) અને અન્ય આતંકીઓ હાજર રહ્યા હતા.

પાકિસ્તાનમાં એક રેલીમાં ભારત વિરોધી ઝેર ઓકતો સૈફુલ્લાહ સૈફનો એક વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.વીડિયોમાં સૈફુલ્લાહ ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે લશ્કર-એ-તૈયબાના સભ્યો બાંગ્લાદેશમાં સક્રિય છે અને ભારતમાં હુમલાઓનું આયોજન કરી રહ્યા છે.

તપાસ એજન્સીઓનું માનવું છે કે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાન-બાંગ્લાદેશનું સંભવિત જોડાણ હોય શકે છે જેના પુરાવા મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે અને તુર્કી કનેક્શનની પણ તપાસ ચાલુ છે

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

.

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 6 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 4 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 7 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 15 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 13 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 9 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!