દિલ્હી ચૂંટણી 2025: એવી 14 સીટો જે કોંગ્રેસના કારણે હારી ગઈ આમ આદમી પાર્ટી

દિલ્હી ચૂંટણી 2025: એવી 14 સીટો જે કોંગ્રેસના કારણે હારી ગઈ આમ આદમી પાર્ટી

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે દિલ્હીના ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો ચોક્કસ રીતે સત્તા માટે જોઈતો 36નો જાદૂઈ આંકડો પાર કરી લીધો હોત, કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી 14 સીટો કોંગ્રેસના કારણે જ હારી ગઈ હોવાના આંકડા આપણી સામે આવી રહ્યાં છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવાર, 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થયા અને ભાજપ 27 વર્ષ પછી અહીં સત્તામાં બિરાજમાન થવાની તક મળી ગઈ છે.

70 બેઠકો ધરાવતી દિલ્હીમાં ભાજપને 48 બેઠકો સાથે બહુમતી મળી, જ્યારે શાસક આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

જો આપણે મત ટકાવારીની વાત કરીએ તો ભાજપને 45.56 ટકા મત મળ્યા તો આમ આદમી પાર્ટીને 43.57 ટકા મત મળ્યા છે.

અહીં ત્રીજો પક્ષ કોંગ્રેસનો હતો જે એક પણ બેઠક મેળવવામાં સફળતા મેળવી નથી. જોકે, તેમના મતની ટકાવારી 6.34 ટકા હતી. આ 2020ની ચૂંટણીમાં તેના પ્રદર્શન કરતાં વધુ સારું હતું, કેમ કે તે સમયે તેને 4.63 ટકા મત મળ્યા હતા.

આ ચૂંટણીમાં દિલ્હીમાં ઘણી એવી બેઠકો છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર માટે કોંગ્રેસ જવાબદાર હતી. આ બેઠકો પર ભાજપની જીતનું અંતર કોંગ્રેસના મતો કરતા ઓછું છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સના ભાગ રૂપે સાથે મળીને મેદાનમાં ઉતર્યા હતા.

પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બંનેએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેમાય ખાસ કરીને અરવિંદ કેજરીવાલની ઈચ્છા એકલા હાથે ચૂંટણી જીતીને પોતાનો એકચક્રિય શાસન કરવાની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બંનેએ એકબીજાની મજાક ઉડાવી હતી.

પરંતુ ચૂંટણી પરિણામ જોયા પછી એવું લાગે છે કે, બંને પાર્ટીઓએ એકસાથે રહીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોત તો બંનેના વોટ એક થયા હોત અને એક ટીમના રૂપમાં તેમને જીત મળી શકી હોત.

એક નજર તે 14 સીટો પર નાંખીએ જ્યાં જીતનો અંતર કોંગ્રેસને મળેલા કુલ વોટો કરતાં ઓછા હોય છે.

ગઠબંધનના નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીના કેટલાક નેતાઓએ આ વાત તરફ ઈશારો પણ કર્યો છે.

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, “આપ અને કોંગ્રેસનો રાજકીય હરીફ ભાજપ છે. બંનેએ સાથે આવવું જોઈતું હતું. જો બંને સાથે આવ્યા હોત તો ભાજપની હાર ગણતરીના પહેલા કલાકમાં જ નક્કી થઈ ગઈ હોત.”

કોમ્યુનિસ્ટ પાર્ટીના ડી રાજાએ કહ્યું, “આ અખિલ ભારતીય ગઠબંધનના પક્ષોમાં એકતાના અભાવને કારણે થયું, દિલ્હી ચૂંટણીના પરિણામો એક પાઠ આપી રહ્યા છે.”

“ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ હોવાને કારણે, કોંગ્રેસે હવે આગળ જોવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે ગઠબંધનને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય. આ દરેક માટે એક મોટો પડકાર છે.”

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પરિણામોથી ખાસ નારાજ જણાતા હતા.

તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો અને મજાક ઉડાવતા લખ્યું – “વધુ લડો અંદરોદર!!!”

વીડિયોમાં લખ્યું છે, “મન ભરીનો લડો. ખત્મ કરી દો એકબીજાને.”

આપ-કોંગ્રેસ સાથે હોત તો આજે સત્તા બનાવી હોત, જૂઓ 14 સીટોનું પરિણામ

1. નવી દિલ્હી

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. તેમને ભાજપના પ્રવેશ સિંહ વર્માએ 4,089 મતોથી હરાવ્યા છે.

કેજરીવાલે 2013માં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને આ બેઠક જીતી હતી અને સતત ત્રણ વખત અહીંથી ધારાસભ્ય રહ્યા હતા.

કેજરીવાલને તેમને હરાવનાર પ્રવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે અને પશ્ચિમ દિલ્હીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.

આ વખતે કોંગ્રેસ વતી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. તેમને કુલ 4,568 મત મળ્યા જે જીતના માર્જિન કરતાં 479 મત વધુ છે.

2. જંગપુરા

આ હાઇ પ્રોફાઇલ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ઉમેદવાર હતા. તેઓ માત્ર 675 મતોથી હારી ગયા હતા.

અહીંથી ભાજપના તરવિંદર સિંહ મારવાહને જીત મળી છે.

આ બેઠક પર કોંગ્રેસે મોટી ભૂમિકા ભજવી હતી. તેના ઉમેદવાર ફરહાદ સૂરીને 7,350 મત મળ્યા હતા.

મનીષ સિસોદિયા 2013થી સતત ત્રણ વખત પટપડગંજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. ચૂંટણી પહેલા તેમણે પોતાની બેઠક બદલી હતી.

2024માં પાર્ટીમાં જોડાયેલા અવધ ઓઝાને પટપડગંજથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આમ આદમી પાર્ટીનો આ પ્રયોગ અવધ ઓઝા કે મનીષ સિસોદિયા માટે ફાયદાકારક નિવડ્યો નહીં.

છેલ્લા ત્રણ વખતથી જંગપુરા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના નામે રહી છે. મણિન્દર સિંહ ધીર 2013માં અહીંથી જીત્યા હતા, જ્યારે પ્રવીણ કુમાર 2015 અને 2020માં અહીંથી જીત્યા હતા.

આ પહેલા 1998થી 2008 સુધી તરવિંદર સિંહ મારવાહે સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે સમયે તેઓ કોંગ્રેસના નેતા હતા. 2022માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

3. ગ્રેટર કૈલાશ

ભાજપના શિખા રોય અહીં ખૂબ જ ઓછા માર્જિનથી જીત્યા છે. તેમણે તેમના હરીફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને મંત્રી સૌરભ ભારદ્વાજને 3,188 મતોના માર્જિનથી હરાવ્યા છે.

આ બેઠક પર કોંગ્રેસના ગરવિત સિંઘવીને કુલ 6,711 મત મળ્યા હતા. જો આ મત આમ આદમી પાર્ટીના ખાતામાં ગયા હોત તો સૌરભ અહીંથી જીતી શક્યા હોત.

સૌરભ ભારદ્વાજ અહીંથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2008 પહેલા આ બેઠક ભાજપના નામે હતી.

4. માલવિય નગર

આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી રહેલા સોમનાથ ભારતી આ બેઠક પરથી હારી ગયા છે. તેમને ભાજપના સતીશ ઉપાધ્યાય દ્વારા 2,131 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

સતીશ ઉપાધ્યાય 2014 અને 2016 માં દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.

આ બેઠક પર કોંગ્રેસના જિતેન્દ્ર કુમાર કોચરને 6,770 મત મળ્યા.

2013માં સોમનાથ ભારતીએ આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કિરણ વાલિયાને હરાવીને પહેલી વાર આ બેઠક જીતી હતી. આ પછી તેઓ 2015 અને 2020 માં પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા.

5. માદીપુર

આ બેઠક ભાજપના ઉમેદવાર કૈલાશ ગંગવાલ 10,899 મતોના માર્જિનથી જીત્યા છે.

તેમણે આ બેઠક પર આમ આદમી પાર્ટીના રાખી બિરલનને હરાવ્યા હતા. તો બીજી તરફ જ્યારે કોંગ્રેસના જેપી પંવારને 17,958 મત મળ્યા હતા.

1998, 2003 અને 2008માં સતત કોંગ્રેસના નામે રહેલી આ બેઠક પર 2013માં આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો હતો. પાર્ટીના ગિરીશ સોનીએ આ બેઠક ત્રણ વખત જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલીને રાખી બિરલનને ટિકિટ આપી હતી. રાખી બિરલન ત્રણ વખત માંગોલપુરીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પાર્ટીને આ નિર્ણયની કિંમત ચૂકવવી પડી છે અને તેની વિજયયાત્રા હવે અહીં જ અટકી ગઈ છે.

6. છતરપુર

આ બેઠક ભાજપના ખાતામાં 6,239 મતોના માર્જિનથી ગઈ છે.

અહીં ભાજપના કરતાર સિંહ તંવરને 80,469 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના બ્રહ્મસિંહ તંવર તેમનાથી માત્ર 6,239 મતોથી પાછળ રહ્યા હતા.

આ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ તંવરને 6,601 મત મળ્યા હતા.

કરતાર સિંહ તંવર 2015થી આ બેઠક જીતી રહ્યા છે. તેઓ 2015 અને 2020માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા. પરંતુ ગયા વર્ષે તેમણે પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા અને ભાજપમાં જોડાયા હતા.

આ વખતે તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ફરી એકવાર આ બેઠક પર પાછા ફર્યા છે.

7. બાદલી

આ બેઠક પર જીતનું માર્જિન 15,163 હતું.

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આહિર દીપક ચૌધરીએ તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના અજેશ યાદવને હરાવ્યા છે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવ, જેઓ અહીંથી ઉમેદવાર હતા, તેમણે આ પરિણામમાં મોટી ભૂમિકા ભજવી છે. તે ત્રીજા સ્થાને રહ્યા હતા.

દેવેન્દ્ર યાદવને કુલ 41,017 મત મળ્યા હતા, જે અજેશ કરતા માત્ર 4,958 મત ઓછા હતા.

અજેશ યાદવે 2008માં બહુજન સમાજ પાર્ટી વતી આ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને બાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

2015ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના દેવેન્દ્ર યાદવને હરાવ્યા હતા.

8. ત્રિલોકપુરી

સંગમ વિહારની સાથે આ બેઠક પણ એવી યાદીમાં સામેલ છે જ્યાં ભાજપની જીતનું અંતર ખૂબ ઓછું રહ્યું છે.

આ બેઠક પર ભાજપના રવિ કાંતે આમ આદમી પાર્ટીના અંજના પાર્ચાને 392 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

આ બેઠક પર કોંગ્રેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. તેના ઉમેદવાર અમરદીપને અહીંથી 6,147 મત મળ્યા હતા.

2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રોહિત કુમાર મહેરૌલિયાએ આ બેઠક પર ભાજપના કિરણ વૈદ્યને હરાવ્યા હતા. પરંતુ આ વખતે ચૂંટણીના થોડા દિવસો પહેલા ટિકિટ ન મળવાને કારણે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતુ.

9. કસ્તૂરબા નગર

ભાજપના નીરજ બસોયાએ આ બેઠક 38,067 મતોથી જીતી હતી. તો કોંગ્રેસના અભિષેક દત્ત તેમનાથી 11,048 મતોથી પાછળ રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના રમેશ પહેલવાન અહીં ત્રીજા સ્થાને રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા મદન લાલ 2013, 2015 અને 2020માં અહીંથી જીત્યા હતા. પરંતુ આ વખતે ટિકિટ ન મળતાં તેમણે પાર્ટી સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.

10. નાંગલોઈ જાટ

પશ્ચિમ દિલ્હીની આ બેઠક પર ભાજપના મનોજ કુમાર શૌકીન 26,251 મતોના માર્જિનથી જીત્યા છે. તેમણે આમ આદમી પાર્ટીના રઘુવિંદર શૌકીનને હરાવ્યા હતા.

આ બેઠક પર કોંગ્રેસના રોહિત ચૌધરીને 32,028 મત મળ્યા છે, જે ભાજપની જીતનું એક મોટું કારણ છે.

છેલ્લી બે વખત આમ આદમી પાર્ટીના રઘુવિંદર શૌકિન વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ધારાસભ્ય હતા.

મનોજ શૌકીન 2013થી 2014 સુધી અહીંથી ધારાસભ્ય રહ્યા હતા. આ બેઠક પર તેમનો વિજય એક રીતે તેમનું પુનરાગમન છે. અગાઉ તેઓ મુંડકા બેઠક પરથી ધારાસભ્ય હતા.

11. મહરૌલી

દક્ષિણ દિલ્હીની આ બેઠક પર ભાજપના ગજેન્દ્ર સિંહ યાદવે 1,782 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમણે આમ આદમી પાર્ટીના મહેન્દ્ર ચૌધરીને હરાવીને જીત મેળવી છે.

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા સિંહ અને અપક્ષ ઉમેદવાર બાલયોગી બાબા બાલકનાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાલકનાથને 9,731 મત મળ્યા, જ્યારે ચોથા ક્રમે રહેલા પુષ્પા સિંહને 9,338 મત મળ્યા છે.

આમ આદમી પાર્ટીના નરેશ યાદવ 2025 અને 2020માં આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પરંતુ આ વખતે ચૂંટણી પહેલા 31 જાન્યુઆરી 2025ના રોજ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

12. તિમાર

આ બેઠક પર રોમાંચક હરિફાઇ જોવા મળી અને ભાજપે 1,168 મતોના માર્જિનથી જીત મેળવી લીધી હતી.

ભાજપના સૂર્ય પ્રકાશ ખત્રીને કુલ 55,941 મત મળ્યા અને તેમણે આમ આદમી પાર્ટીના સુરિન્દર પાલ સિંહને માત આપી દીધી.

આ બેઠક પર કોંગ્રેસના લોકેન્દ્ર કલ્યાણ સિંહને કુલ 8,361 મત મળ્યા હતા.

આ બેઠક પરથી 2020માં આમ આદમી પાર્ટીના દિલીપ પાંડેને જીત મળી હતી. તે સમયે તેમણે આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર અહીંથી ચૂંટણી લડી રહેલા સુરિન્દર પાલ સિંહને હરાવ્યા હતા.

આ વખતે ડિસેમ્બરમાં ચૂંટણી પહેલા સુરિન્દર પાલ સિંહ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલીપ પાંડેએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી હતી.

13. રાજેન્દ્ર નગર

આ બેઠક પર ભાજપનો વિજય માર્જિન ફક્ત 1,231 મતોનો હતો.

ભાજપના ઉમંગ બજાજ જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર હતા, તેમણે આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય દુર્ગેશ પાઠકને હરાવ્યા છે.

કોંગ્રેસ વતી પહેલી વાર ચૂંટણી લડનારા વિનીત યાદવને આ બેઠક પર કુલ 4,015 મત મળ્યા હતા.

રાઘવ ચઢ્ઢા 2020માં આ બેઠક પરથી જીત્યા હતા. 2022માં પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા ત્યારબાદ આ બેઠક ખાલી થઈ ગઈ હતી.

આ બેઠક પર પેટાચૂંટણી જીતીને દુર્ગેશ પાઠકે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ખાતામાં જીત અપાવી હતી.

14. સંગમ વિહાર

આ સીટ પર ઉપર પણ રસાકસીપૂર્ણ મુકાબલો જોવા મળ્યો હતો, અહીં જીતનો માર્જિન સૌથી ઓછો એટલે કે માત્ર 344 વોટોનો જ રહ્યો હતો.

બીજેપીના ચંદન કુમાર ચૌધરીને મળેલા કુલ 54,049 વોટ મળ્યા, જ્યારે તેમનાથી માત્ર 344 વોટ પાછળ રહ્યા આમ આદમી પાર્ટીના વર્તમાન સાંસદન દિનેશ મોહનિયા.

દિનેશ પાછલા ત્રણ વખતથી આ સીટ પરથી જીતતા આવતા હતા પરંતુ આ વખતે તેમને હારનું મોઢું જોવું પડ્યું છે.

આ સીટ પર કોંગ્રેસે મોટી ભૂમિકા ભજવી છે. પાર્ટીના હર્ષ ચૌધરીને 15,863 વોટ મળ્યા અને તેઓ ત્રીજા નંબર પર રહ્યાં હતા.

જણાવી દઈએ કે, આ 14 સીટો એવી છે, જ્યાં ચોક્કસ રીતે એક ટીમના રૂપમાં કોંગ્રેસ અને આપ લડ્યા હોત તો જીત મેળવી હોત પરંતુ આ સિવાય પણ અન્ય 8 સીટો ઉપર પણ જીત મળવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. અન્ય આઠ સીટો પણ એવી છે, જ્યાં એકદમ પાતળી સરસાઈથી બીજેપીએ જીત મેળવી છે. આમ જો આપ-કોંગ્રેસે ગઠબંધનના રૂપમાં ચૂંટણી લડી હોત તો તેમને 40થી 42 સીટ મળી હોત અને સત્તા બનાવી હોત.

આ પણ વાંચો- Delhi: ચૂંટણી જીત્યા બાદ આતિશીએ જબ્બર ડાન્સ કર્યો, સ્વાતિ માલીવાલે કહ્યું: બેશરમીનું પ્રદર્શન

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

One thought on “દિલ્હી ચૂંટણી 2025: એવી 14 સીટો જે કોંગ્રેસના કારણે હારી ગઈ આમ આદમી પાર્ટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ