દિલ્હી ચૂંટણી: ન સમજાય એ રીતે ભાજપની જીતની તરફેણમાં લોકમત ઉભો કરાયો

  • દિલ્હી ચૂંટણી: ન સમજાય એ રીતે ભાજપની જીતની તરફેણમાં લોકમત ઉભો કરાયો

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2025: મુસ્લિમ મત ટકાવારી 50% છે, ત્યાં ભાજપના ઉમેદવારો આગળ જોવા મળે છે. ઓવૈસી ભલે કોઈ બેઠક ન જીતે પણ અહીં અમિત શાહ અને ઓવૈસીની મિત્રતા જીતી રહી છે. ગુજરાતની જેમ. કોઈક રીતે દિલ્હીની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં ધ્રુવીકરણ કરવામાં સફળતા મેળવી છે. ઓવૈસીના બન્ને ઉમેદવારો નહીં જીતે પણ તે ભાજપના ઉમેદવારોને જીત અપાવવામાં તેમનું મોટું યોગદાન આપી શકે એવી સ્થિતી છે.

કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યપ્રધાન આતિશી પાછળ છે. તેમની સંભવિત હાર શરૂઆતથી જ સ્પષ્ટ દેખાવામાં આવતી હતી. અલકા લાંબા આફતમાં નકલી રીતે બતાવવામાં આવે છે.

અરવિંદ કેઝરીવાલ અને અતીશી વચ્ચેની રાજકીય લડાઈ ફૂટેલું મિડિયા બતાવી રહ્યું છે. શિલા દીક્ષીત અને શુસ્મા સ્વરાજને મહાન બતાવીને અતીશીને નીચે બતાવવા ભાજપના લોકો મેદાને પડીને જીત કૃત્રિમ નહીં પણ કુદરતી હોવાનું જણાવી રહ્યાં છે.

ઓવૈસીના તાહિર અને શિફા-ઉર-રહેમાન ચૂંટણી લડે અને જેલમાંથી મુક્ત થાય તો ભાજપને ચૂંટણીમાં ફાયદો ચોક્કસ મળત એવું ભાજપ તરફી લોકો કહી રહ્યાં છે.

આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ

મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યો હોય તેવું ટીવી પત્રકારો દ્વારા બતાવવામાં આવે છે. આવો ચમત્કાર પણ ભાજપના નજીકના પત્રકારો દિલ્હીમાં કરી રહ્યાં છે.

ચૂંટણીઓમાં એક નવો ટ્રેન્ડ ઉભરી રહ્યો હોવાનું ભાજપ તરફી મુસ્લિમ પત્રકારો કહી રહ્યાં છે કે મુસ્લિમોની ભાજપ પ્રત્યેની વિચારસરણી બદલાઈ રહી છે. કારણ કે ભાજપની આ પ્રકારની જીત ફક્ત એક બાજુના મતોથી થતી નથી. પણ તેઓ ભૂલી જાય છે કે મતમાં મોટી ગોલમાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ થઈ હતી.

ભાજપ તરફી લોકો કહી રહ્યાં છે કે, બધા વર્ગોના મત મળ્યા પછી જ થતી હોય તેવું લાગે છે. હવે તેઓ કહી રહ્યાં છે કે, મુસ્લિમ મતદારો પણ ભાજપ તરફ પાછા ફરવા લાગ્યા છે. હારને જીતમાં બતાવવા માટે આવી વાતો હંમેશ ફેલાવવામાં આવે છે.

કોંગ્રેસ હારીને આમ આદમી પક્ષ સાથે બદલો લીધો હોવાનું દિલ્હીના ફૂટેલા પત્રકારો બતાવી રહ્યાં છે. ગોદી પત્રકારો એવું કહે છે કે, કોંગ્રેસે પહેલેથી જ હાર સ્વિકારી લીધી હતી. જો એવું હોત તો કોંગ્રેસ ચૂંટણી લડી જ ન હોત.

પત્રકારો એવું ચિત્ર આપી રહ્યાં છે કે, દિલ્હીમાં આમ આદમી પક્ષની હાર એ કોંગ્રેસના કારણે થઈ છે. નહીં કે ભાજપના કારણે.

ભાજપની સરકારના નવા મુખ્ય પ્રધાનના નામો સવારના 8 વાગ્યાથી જ ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં મીનાક્ષી લેખી, બાંસુરી સ્વરાજ, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી અને વિજેન્દ્ર ગુપ્તા જેવા નામોનો સમાવેશ થાય છે. આમ કરીને મતદારોને ભ્રમમાં નાંખવામાં આવી રહ્યાં છે કે, દિલ્હીની જીત એ બનાવટી મતદાનથી થઈ નથી.

ગણતરીના પહેલાં જ કલાકમાં દિલ્હીના પત્રકારોએ બતાવી દીધું કે ભાજપની સરકાર બની રહી છે. આમ મતદારોને ભ્રમમાં નાંખવામાં આવી રહ્યાં છે. હવે સમય આવી ગયો છે કે વિઝાણુથી નહીં પણ કાગળથી મતદાન કરાવવાનો. મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ વિઝાણું મતોનો વિવાદ થવાનો છે. ચૂંટણી પંચે વહેલી તકે વિઝાણુંની પ્રથા બંધ કરી દેવી જોઈએ.

દિલ્હી મતગણતરી અપડેટ*

બીજેપી-42, આપ-28, કોંગ્રેસ-00, અન્ય-00

લોકસભા
બીજેપી-08, આપ-02, કોંગ્રેસ-00, અન્ય-00

નવી દિલ્હીમાં કેજરીવાલ 254 મતોથી આગળ, મનીષ સીસોદીયા, કાલકાજી થી બીજેપીના રમેશ આગળ ચાલી રહ્યા છે. સીએમ આતિષી 1 હજાર વોટથી પાછળ

આ પણ વાંચો- મિલ્કીપુર પેટાચૂંટણી: ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર કોણ આગળ અને કોણ પાછળ?

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત