Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

  • India
  • July 23, 2025
  • 0 Comments

Delhi Murder Case: દેશની રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ સનસનાટીભર્યા ખૂની ખેલની ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ તેના પતિ મોહમ્મદ શાહિદની નિર્દયતાથી હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે હવે આ જઘન્ય ગુનો આચરનાર પત્નીની ધરપકડ કરી છે. પતિ-પત્ની બરેલીના વતની છે.  આશ્ચર્યજનક વાત એ છે કે  પતિની હત્યા કર્યા પછી આરોપી પત્ની આપઘાતની ખોટી વાત ઉભી કરી પોલીસને ગેરમાર્ગે દોરી રહી હતી.

જોકે પોલીસે સંપૂર્ણ તપાસ અને કડક પૂછપરછ  કરતાં ભાંડો ફૂટી ગયો. પોલીસનો દાવો છે કે આરોપી મહિલાએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તેનો પતિ 32 વર્ષિય મોહમ્મદ શાહિદ તેને શારીરિક રીતે સંતોષ આપી શકતો ન હતો, જેથી તેણે પતિને મારી નાખ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આરોપી પત્નીનું નામ 29 વર્ષિય ફરઝાના ખાન છે.

હોસ્પિટલથી ફોન આવ્યો અને હત્યા રહસ્યો ખૂલ્યૂ

આ સમગ્ર મામલો 20 જુલાઈના રોજ સાંજે લગભગ 4:15 વાગ્યે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે પોલીસને દિલ્હીની બહારના નિહાલ વિહાર પોલીસ સ્ટેશનની એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ જાણ કરી કે એક મહિલા તેના પતિ સાથે હોસ્પિટલમાં આવી છે, જેના શરીર પર છરીના નિશાન છે અને તે મૃત હાલતમાં છે. આ બાતમી આધારે દિલ્હી પોલીસની એક ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી. હોસ્પિટલમાં પોલીસને તે જ મહિલા મળી, મહિલાએ કહ્યું કે તેના પતિએ પોતાની જાતે જ છરી મારીને આત્મહત્યા કરી લીધી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખૂલાસો

જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ પોલીસને મહિલાની વાત પર શંકા ગઈ. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શરીર પર છરીના ઘા એવા નહોતા કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે. છરીના ઘા જે રીતે હતા તે સ્પષ્ટપણે દર્શાવાત હતા કે યુવકને સામેથી છરી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ પછી પોલીસે તાત્કાલિક આ કેસમાં હત્યાની કલમ હેઠળ FIR નોંધી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

મોબાઇલ સર્ચ હિસ્ટ્રીએ હત્યાના રહસ્યો ખોલ્યૂ

જ્યારે પોલીસે મોહમ્મદ શાહિદની પત્નીની કડક પૂછપરછ કરી અને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો, ત્યારે હવશખોર પત્નીનો ભાંડો ફૂટી ગયો. મહિલાના ફોનની સર્ચ હિસ્ટ્રીમાંથી પોલીસને ચોંકાવનારી માહિતી મળી. પોલીસને ખબર પડી કે મહિલાએ ઇન્ટરનેટ પર ચેટ કેવી રીતે ડિલીટ કરી શકાય છે તે અંગે માહિતી મેળવી હતી. આ સાથે તેણે સલ્ફાસ(એક પ્રકારનું ઝેરી રસાયણ) નો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેની અસર કેટલી ઘાતક હોઈ શકે છે તે અંગે પણ સર્ચ કર્યું હતુ.

પતિએ પત્ની શારિરીક ભૂખ ન સંતોષતા કરી હત્યા!

જ્યારે પોલીસે મહિલાની ફરીથી પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેને શારીરિક સંતોષ આપી શકતો ન હતો, તેથી જ તેણે તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું. માહિતી અનુસાર બધી જરૂરી જાણકારી એકત્રિત કર્યા પછી પત્નીએ મોકો જોઈ પતિને છાતી પર ત્રણવાર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, અને પછી પોતે તેના પતિને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં આત્મહત્યાની ખોટી વાત કરી. જો કે તેની કાળી કરતૂતની બધી હકીકત સામે આવી ગઈ.

મહિલા કોની સાથે કરતી હતી વાત?

પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી મહિલા કોની સાથે ફોન પર ચેટ કરી રહી હતી, કારણ કે તેણે હિસ્ટ્રીમાંથી ચેટ ડિલિટ કરી છે. પોલીસે હત્યાના આરોપમાં મહિલાની ધરપકડ કરી છે અને હવે તેની વધુ પૂછપરછ કરીને હત્યા પાછળનું સાચુ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી પણ જપ્ત કરી છે.

આ પણ વાંચો:

Pakistan: પાકિસ્તાન રાખ થતાં બચી ગયું!, શાહીન-3 ન્યૂક્લિયર મિસાઈલ ફાટી, જુઓ

Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?

Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

UP Crime: મારા જ ભાઈએ મારા પતિને ગોળી મારી, 3 દિવસ પહેલા જ ભાણીને જન્મ આપનાર માતાની વેદના, શું છે કારણ?

Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

UP Electricity problem: ભાગવાનો રસ્તો નહીં મળે, ચૂપચાપ ઘરે પડી રહો, જોઈ લો ભાજપના રાજમાં પોલીસની દાદાગીરી!

Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!

UP Crime: મહિલા કોન્સ્ટેબલ પર સબ ઈસ્પેક્ટરે રેપ કર્યો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી!, પિડિતાના ગંભીર આરોપ

Akhilesh Yadav: ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ટેબલ નીચે મોટી ફી લે છે, તેમને બોલાવવાની તાકાત છે કોઈનામાં?’

Pakistan Army Chief Munir: શું પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર રાષ્ટ્રપતિ બનશે? જાણો ગૃહમંત્રી મોહસીન નકવીએ શું કહ્યું?

 

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 9 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?