‘મનની વાત કહેવાથી ભારતનું ભલુ ના થાય, કોઈ આપણને જ ઉડાવી દે’, Dhirendra Shastriએ રક્ષામંત્રીને શું કહ્યું?

  • India
  • April 27, 2025
  • 6 Comments

Dhirendra Shastri Advice Rajnath Singh on Terror Attacks: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશના નાગરિકો ઇચ્છે છે કે સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરે. આ દિશામાં સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. સામે પાકિસ્તાને પણ પગલા લીધા છે. તેણે શીમલા કરાર રદ કરી નાખ્યો છે. તેણે ભારતને કહ્યું કે જો પાકિસ્તાની નાગરિકોના મોત થયા તો પગલાં લેવામાં આવશે. જો કે આ વચ્ચે  મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીડિત પરિવારોને ચોક્કસ ન્યાય મળશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. હવે બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંરક્ષણ મંત્રીને રાષ્ટ્રીય હિતમાં તેમની “શક્તિ”નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

એક વાયરલ વીડિયોમાં કથા દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે, “અમે ભારતના સંરક્ષણ પ્રધાનને પણ અમારી શક્તિનો સારો ઉપયોગ કરવા કહીશું. અમે સત્તાવાર રીતે કોઈ અધિકારી બની શકતા નથી, અમે ભણેલાગણેલા નથી, પરંતુ અમારી પાસે જે ચેતના છે, હનુમાનજીની કૃપા છે, તેનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરીએ.”

“…કોઈ આપણને ઉડાવી દેશે” – ધીરેન્દ્ર શાસ્ત્રી

તેમણે વધુમાં કહ્યું “આપણી શક્તિનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં, શું અને કઈ સંભવિત ઘટનાઓ બની શકે છે તે નક્કી કરવા માટે થવો જોઈએ, પરંતુ આ બધું ગુપ્ત રીતે થવું જોઈએ. જો આપણે ખુલ્લેઆમ કહીશું, તો કોઈ આપણને ઉડાવી દેશે. આપણે હવે ભારત માટે પણ, રાષ્ટ્રીય હિત માટે કામ શરૂ કરી રહ્યા છીએ, જેનો દેશને ફાયદો થશે. ફક્ત ‘મન કી બાત’ બોલીને દેશને ફાયદો થશે નહીં.”

જો કે રક્ષા મંત્રીને સલાહ આપવા જતાં ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફસાયા છે. તેઓ ટ્રોલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા મહાન છે તો પહેલગામ હુમલાની ભવિષ્યવાણી કેમ ન કરી? તેમણે હુમલા અંગે પરછી કેમ ન કાઢી?

મોદીએ પોતાના મનની વાત શું કહી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને ખૂબ જ દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે. હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, અને તેમને ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા વ્યૂહાત્મક ભગલાં ભરવામાં આવી રહ્યા નથી. પાકિસ્તાન ભારત સામે ચટોર થઈને પગલાં લઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત

હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh

UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 

Related Posts

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે
  • June 17, 2026

Shiv Sena UBT MP Rebellion: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના ૯માંથી ૬ સાંસદોના દિલ્હી પહોંચવા અને ત્યાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે…

Continue reading
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ
  • June 17, 2026

NEET exam fraud: NEET-UG જેવી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે, પરંતુ આ વખતે ખતરો માત્ર પેપર લીક પૂરતો સીમિત નથી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 7 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 7 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 9 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 20 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!