IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે

  • Sports
  • February 24, 2025
  • 0 Comments

ભારતે પાકિસ્તાનને (IND vs PAK, Champions Trophy 2025) 6 વિકેટથી હરાવ્યું અને ધમાકેદાર રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. વિરાટ કોહલીને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે. ભારતે 242 રનનો લક્ષ્યાંક 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો છે. આ મેચ દુબઈમાં રમાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા. તે જ સમયે, ભારતે 4 વિકેટ ગુમાવ્યા બાદ 244 રન બનાવીને મેચ જીતી લીધી. ભારત સામે પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર વસીમ અકરમ ગુસ્સે ભરાયા છે.

ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.

ટેન સ્પોર્ટ્સ સાથે વાત કરતા, વસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પસંદગીકારોને ઠપકો આપ્યો છે. વસીમે કેપ્ટન મોહમ્મદ રિઝવાનની પણ ટીકા કરી છે. વસીમ અકરમે સ્વીકાર્યું છે કે રિઝવાને મેચમાં ખૂબ જ ખરાબ કેપ્ટનશીપ કરી છે.

આપણે હવે હારવા ટેવાઈ ગયા: પૂર્વ પાકિસ્તાની કેમ્પટન

પાકિસ્તાનની હાર પછી વસીમે કહ્યું, “આપણે હવે હારવા ટેવાઈ ગયા છીએ, રિઝવાનની મેચમાં કેપ્ટનશીપ ખૂબ જ ખરાબ રહી છે. આપણે છેલ્લા કેટલાક સમયથી સફેદ બોલના ક્રિકેટમાં હારતા આવ્યા છીએ. હવે મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. એક બોલ્ડ નિર્ણય લેવાનો… હવે આપણે યુવા ખેલાડીઓ, નીડર ખેલાડીઓને ક્રિકેટમાં લાવવા પડશે.”

પૂર્વ પાકિસ્તાનના કેપ્ટને વધુમાં કહ્યું, “જો તમારે ટીમમાં પાંચથી છ ખેલાડીઓ બદલવા પડે, તો પણ તમારે આ નિર્ણય લેવો પડશે, તમે આગામી છ મહિના સુધી મેચ હારી શકો છો પરંતુ તમારે હજુ પણ તે છોકરાઓને ટેકો આપવો જોઈએ, અને 2026 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમને અત્યારથી જ તૈયાર કરવી જોઈએ.”

પૂર્વ પાકિસ્તાની કેપ્ટન  ફાસ્ટ બોલર  વસીમે વધુમાં કહ્યું, “હવે પાકિસ્તાન બોર્ડે પહેલા પસંદગીકારો, કેપ્ટન અને કોચને બોલાવવા જોઈએ અને તેમને પૂછવું જોઈએ કે તેમણે ટીમ કેવી રીતે પસંદ કરી છે. આ એક હકીકત છે. બધાને ખબર હતી કે ટીમ સારી નથી. ટીમની અંતિમ જાહેરાત સમયે તેમની એક કલાકની બેઠક થઈ હતી, પરંતુ તેમ છતાં ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. કેપ્ટન પણ આમાં દોષિત છે… કારણ કે તે ટીમનો નેતા છે. તેને એ પણ ખબર નથી કે તે પોતાની ટીમમાં કયા મેચ વિનર ઇચ્છે છે, તેથી આ એક વિચિત્ર વાત છે. તમે મેચની પરિસ્થિતિ વાંચી શકતા નથી. આ વધુ શરમજનક છે. જ્યારે પાકિસ્તાન બોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની ચાહકો 15 થી 20 ઓવર પછી સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા તે જોઈને ખૂબ જ નિરાશા થઈ. મેં પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય જોયું નથી. આ પાકિસ્તાન ક્રિકેટ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.

આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

આ પણ વાંચોઃ IND Vs PAK: પાકિસ્તાન સામે ગુજરાતીઓએ મચાવ્યો તરખાટ; અક્ષર-હાર્દિક-જાડેજાની ત્રિપુટી બની હાવી

Related Posts

OLYMPICS 2028 માં ક્રિકેટનો સમાવેશ, પુરુષ અને મહિલાની 6 – 6 ક્રિકેટ ટીમો ભાગ લેશે
  • April 10, 2025

ઓલેમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટની મેચો રમાડવામાં આવશે. ઇન્ટનેશનલ ઓલેમ્પિક કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ. Cricket in Olympics 2028 । આગામી ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ…

Continue reading
NZ vs PAK: પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હકને માથામાં બોલ વાગ્યો, મેચ અટકાવી, કેવી થઈ હાલત?
  • April 5, 2025

NZ vs PAK Player Injured: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં એક ચોકનારી ઘટના ઘટી છે. અહીં બે ઓવલ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 4 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 15 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 18 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 34 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 37 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું