
- અમરેલી લેટરકાંડ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
- બીજેપીના દિગ્ગજ નેતાનો ભૂપેન્દ્ર પટેલને પત્ર
અમરેલી લેટરકાંડને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ (BJP) નેતા દિલીપ સંઘાણીએ (Dileep Sanghani) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.
દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડ મામલે હાઈકોર્ટનાં (High Court) સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માગણી કરી છે.
આ સાથે જ સંઘાણીએ અમરેલી કાંડ સાથે જોડાયેલા તમામ લોકોનાં નાર્કો ટેસ્ટHigh Court કરવાની માગ પણ કરી છે, તે સાથે જ તેમણે કહ્યું છે કે, હું પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું.
અમરેલી લેટરકાંડ મામલે હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી કે આ કેસમાં હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવવી જોઈએ.
આ પણ વાંચો- ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં પકડાયો
વધુમાં પત્રમાં લખ્યું છે કે, પોલીસ કસ્ટડીમાં ભાજપનાં નેતાઓનું નામ આપવા અંગેનું મનિષભાઇ વઘાશિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ બાબત અત્યંત ગંભીર કહી શકાય.
દિલીપ સંઘાણીએ પોતાના પત્રમાં આશંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે, અમરેલી પોલીસે (Amreli Police) પોતાની જાતે, પોલીસનાં કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીનાં કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે છે.
તેમણે પત્રમાં કહ્યું કે, કોઈ સામાન્ય વ્યક્તિનાં ઇશારે પોલીસ આવા પ્રકારનું કૃત્ય ન જ કરે.
દિલીપ સંઘાણીએ પત્રમાં આગળ લખ્યું કે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું.
આ સાથે જ તેમણે પોતાના લેટરમાં કહ્યું છે કે જ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલી અન્ય 2-4 વ્યક્તિનાં પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ, જેથી હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.
આ સાથે દિલીપ સંઘાણીએ પત્રમાં આ કેસની તપાસ હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા કરવામાં આવે તેવી માગ પણ કરી છે.
આ પણ વાંચો- બજેટ 2025: ભારતે કયા પાડોશીને આપી કેટલા કરોડ રૂપિયાની મદદ; શું છે હેતુ?