Modi: બંગાળમાં રાષ્ટ્રપતિના કથિત અપમાન મુદે મોદીનું તરત રિએક્શન આવ્યું પણ ટ્રમ્પ સામે મોદી મૌન કેમ બની જાય છે?! જુઓ ,ખાસ વિશ્લેષણ

Modi: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ‘અપમાન’નો મુદ્દો ગરમાયો છે,હવે કેન્દ્રીય ગૃહ સચિવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી જવાબ માંગ્યો છે,બંગાળના મુખ્ય સચિવને એ પણ પૂછવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કેમ ન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બાગડોગરા એરપોર્ટ નજીક આયોજિત આદિવાસી સમુદાયના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના મંત્રીઓની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલવાના નિર્ણય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને એરપોર્ટ પર મુખ્યમંત્રીએ આવવાનું હોય પણ CM મમતા કે કોઈ મંત્રી રિસીવ કરવા ન આવ્યું અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ફક્ત સિલિગુડીના મેયર ગૌતમ દેબ હાજર હતા જે મુદ્દે મામલો ગરમાયો અને પીએમ મોદી સહિતના નેતાઓએ ઘટનાને વખોડી કાઢી અને મમતા ઉપર પ્રહાર કર્યા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દ્રૌપદી મુર્મુ સંથાલ સમુદાયના એક મોટા સમારોહમાં હાજરી આપવા બંગાળ ગયા હતા. પરંતુ રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બદલે, ટીએમસીએ આ પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે આ માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં, પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની મહાન પરંપરાનું પણ અપમાન છે.

જોકે,કેટલાક વિશ્લેષકો નરેન્દ્ર મોદીના આ પ્રકારના તાત્કાલિક રિએક્શનથી ચોંકી ગયા કેમકે ટ્રમ્પના નિવેદન હોય કે પછી ખામેનીનું અવસાન હોય કે અમેરિકા એમ કહેતું હોય કે ભારત અમે કહીએ તેટલુંજ કરે! આવા આંતરરાષ્ટ્રીય મુદે ભારતનું અપમાન થતું હોય ત્યાં તેઓ એક હરફ બોલતા નથી અને આવા મુદ્દે તરતજ બોલવા માંડે છે. આ મુદ્દે વિશ્લેષકો સવાલ કરી રહયા છે કે આવું કેમ?

આ સિવાય ઇરાન-અમેરિકા યુદ્ધ પર કેટલીક વાતો સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત રીતે છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Meeting: INDIA ગઠબંધનના ૫ મોટા નિર્ણયો, SIR મુદ્દે CJI ને પત્ર અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

  • June 8, 2026
  • 4 views
INDIA Alliance Meeting: INDIA ગઠબંધનના ૫ મોટા નિર્ણયો, SIR મુદ્દે CJI ને પત્ર અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

Gujarat Wildlife Cable Network: ભાજપ સરકારની જંલવિરોધી નીતિ, અભયારણ્યમાં હજારો કિ.મી. વાયરો નંખાયા

  • June 8, 2026
  • 9 views
Gujarat Wildlife Cable Network: ભાજપ સરકારની જંલવિરોધી નીતિ, અભયારણ્યમાં હજારો કિ.મી. વાયરો નંખાયા

Qeshm Island: હોર્મુઝ જળડમરૂમધ્યના મુખ પર આવેલો કેશમ ટાપુ કેમ બન્યો વૈશ્વિક તણાવ અને સુરક્ષાનું કેન્દ્ર?

  • June 8, 2026
  • 13 views
Qeshm Island: હોર્મુઝ જળડમરૂમધ્યના મુખ પર આવેલો કેશમ ટાપુ કેમ બન્યો વૈશ્વિક તણાવ અને સુરક્ષાનું કેન્દ્ર?

Noida Workers Salary Protest: ૨૦,૦૦૦ રૂપિયા પગારની લડાઈ, નોઈડાની ફેક્ટરીઓથી શરૂ થયેલો મજૂરોનો અવાજ

  • June 8, 2026
  • 9 views
Noida Workers Salary Protest: ૨૦,૦૦૦ રૂપિયા પગારની લડાઈ, નોઈડાની ફેક્ટરીઓથી શરૂ થયેલો મજૂરોનો અવાજ

Armenia Election Result: ભારત માટે કસોટીનો સમય; રશિયા અને આર્મેનિયા વચ્ચે કેવી રીતે જળવાશે સંતુલન?

  • June 8, 2026
  • 11 views
Armenia Election Result:  ભારત માટે કસોટીનો સમય; રશિયા અને આર્મેનિયા વચ્ચે કેવી રીતે જળવાશે સંતુલન?

Manipur Relief Camps: મણિપુર હિંસા બાદ રાહત શિબિરોમાં ૭૩૧ વિસ્થાપિતોના મોત, ત્રણ વર્ષ પછી પણ ૪૩ હજારથી વધુ લોકો ઘરવિહોણા

  • June 8, 2026
  • 13 views
Manipur Relief Camps: મણિપુર હિંસા બાદ રાહત શિબિરોમાં ૭૩૧ વિસ્થાપિતોના મોત, ત્રણ વર્ષ પછી પણ ૪૩ હજારથી વધુ લોકો ઘરવિહોણા