
Donald Trump: દુનિયાભરમાં ટ્રમ્પ 71 વખત દાવો કરી ચુક્યા છે કે ભારત-પાક વચ્ચેનું યુદ્ધ મેં અટકાવ્યું છે પણ આપણા વડાપ્રધાન મોદી સાહેબ ક્યારેય પોતે પોતાના મુખેથી ક્યારેય કોઈ ચોખવટ કરી નથી કે “ટ્રમ્પ ખોટું બોલે છે!”
જોકે,ભલે મોદી તો ન બોલ્યા પણ હવે ખુદ યુએસ સેનેટર અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન માર્ક વોર્નરે ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ખોટો ગણાવ્યો છે તેઓએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરાવવામાં અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ રહી છે ખરેખરતો સત્ય એ છે કે બંને દેશોએ પોતાની રીતે આ મુદ્દો ઉકેલી લીધો હતો.
માર્ક વોર્નરે ચેતવણી પણ આપી હતી કે આવી ટિપ્પણીઓ રાજદ્વારી વાતાવરણને વિક્ષેપિત કરી શકે છે અને આ સંવેદનશીલ સમયે પ્રાદેશિક તણાવને વધુ વેગ આપી શકે છે IANS સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, વોર્નરે કહ્યું કે વર્તમાન માહિતી એ વિચારને સમર્થન આપતી નથી કે વોશિંગ્ટન આ તણાવનો ઉકેલ લાવ્યો છે.
તેમણે કહ્યું,”ભારત સરકારના ગુપ્તચર વિભાગ અને યુએસ ગુપ્તચર સમિતિના અહેવાલોથી સ્પષ્ટ થાય છે કે “આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર વાતચીતથી ઉકેલાઈ ગયો છે.”
●“ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કોઈ સીધી દખલગીરી નહોતી.”
માર્ક વોર્નરે સ્વીકાર્યું કે માની શકાય કે અમેરિકાએ સહાયક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હોય શકે,પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીધી દખલગીરીના દાવાઓને ફગાવી દઈ જણાવ્યું કે તે જુઠ્ઠું બોલે છે તેમના કહેવાથી સીઝ ફાયર નથી થયું,બે પરમાણુ દેશો વચ્ચેના તણાવ મામલે વોર્નરે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે પણ નવી નથી,ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ પણ આવા ઘણા છમકલાં થતા રહયા છે અને તણાવ રહ્યા છે જે નવી વાત નથી.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








