Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?

Dwarka: તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી જ્ઞાનપ્રકાશએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરતાં વીરપુરમાં છૂપાઈને માફી માગવા જવું પડ્યું હતુ. ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંસ્થાના એક સ્વામીએ દ્વારકાધીશને લઈ નવો વિવાદ ઉભો કર્યો છે. સ્વામિનારાયણના પુસ્તકમાં ભક્તોને દ્વારકાને બદલે વડતાલ મોકવાની વાત કરવામાં આવી હોય તેવું પુસ્તક પરથી જણાઈ આવતાં ભારે વિરોધ થયો છે. દ્વરકામાં આજે (25 માર્ચે) રેલી કાઢી સ્વામિનારાયણના સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદીત લખાણ હટાવવા બે દિવસનું અલ્ટીમેટમ આપમાં આવ્યું છે.

સ્વામિનારાયણના સ્વામીઓ હવે વિવાદીત લખાણો, નિવેદનો આપવા ટેવાઈ ગયા છે. જેથી હવે હિંદુ સમાજ રોષે ભરાયો છે. સ્વામિનારાયણના સ્વામીઓ કંઈને કંઈ નવો વિવાદ ઉભો કરે છે. ત્યારે હવે એક પુસ્તકમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે દ્વારકાના પૂજારીઓ, હિંદુ ભક્તોએ રેલી યોજી લખાણ હટાવવા અને માફી માગવા માગ કરી છે. આજે રેલી યોજવામાં આવી હતી. સાથે જ હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

સ્વામિનારાયણના પુસ્તકમાં શું લખ્યું છે?

સ્વામિનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ થયો છે. “સ્વામી ! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?’ ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જે તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’

સ્વામીશ્રીની અનુમતિ લઈ આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાંવહાલાં જે કુસંગી હતાં તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો, છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું અને દરિયા કિનારે જઈ વહાણમાં બેઠા ત્યારે થોડા સમય બાદ દરિયામાં પ્રચંડ વાવાઝો ઊપડ્યું, તેમાં વહાણ પણ ચકડોળે ચડ્યું અને જોતજોતામાં બૂડી પણ ગયું. બૂડતાં બૂડતાં આબાસાહેબે વિચાર્યું કે, “સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને વચન કહ્યું હતું તે મેં ન માન્યું તેથી મારે આ કષ્ટ આવી પડ્યું.” એમ કહી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એમ ભજન કરવા માંડ્યા. ત્યારે દયાસાગર શ્રી સ્વામિનારાયણ ભગવાને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે બાબાસાહેબને દિવ્ય તેજીમય દર્શન આપી કહ્યું, ‘આ લાકડાનો કટરો છે તે તમે હાથમાં પકડી રાખો એટલે દરિયો પાર કરી શકશો. તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી.’ એમ કહી અદ્શ્ય થઈ ગયા.

ઉપરોક્ત લખાણવાળું પુસ્તક સામે આવતાં હિંદુ ધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે .

 

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ, PoK ખાલી કરવું પડશે, વાંચો વધુ

આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra

આ પણ વાંચોઃ જબરજસ્ત વિરોધ બાદ વિક્રમ ઠાકોર સામે ઝૂકી સરકાર, હિતેનકુમાર, મલ્હાર સહિત 300 કલાકારોને આમંત્રણ | Invitation Assembly

આ પણ વાંચોઃ Surendranagar: ધરતીનું પેટાળ ચીરી કરોડોની કમાણી, 90 કોલસાની ખાણો ઝડપાઈ, સુરેન્દ્રનગરની ધરતી કોણ બચાવશે?(VIDEO)

  • Related Posts

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
    • May 11, 2026

    Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

    Continue reading
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
    • May 10, 2026

    Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    • May 11, 2026
    • 3 views
    Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    • May 11, 2026
    • 3 views
    Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    • May 11, 2026
    • 4 views
    INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    • May 11, 2026
    • 9 views
    Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    • May 10, 2026
    • 11 views
    Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

    • May 10, 2026
    • 10 views
    Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં