દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

ગુજરાતના દ્વારકા (Dwarka) જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ લિમિટેડ (Tata Chemicals Limited) ના સિમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણે (Pollution) આસપાસના ગામોના લોકોનું જીવન (People Life) નર્કમય બનાવ્યું છે. દેવપરા, પાડલી, લાલસિંગપુર, હમુસર, ભીમરાણા સહિત 12થી વધુ ગામોમાં સિમેન્ટની રજકણો, ઝેરી ગેસ અને કેમિકલયુક્ત પાણીએ ખેતી, પશુપાલન, હવા, પાણી, ગૌચર અને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. 31 વર્ષથી લોકો આ યાતના ભોગવી રહ્યા છે, પરંતુ ભાજપની સરકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યાં છે.

પ્રદૂષણનો આતંક

ટાટા કેમિકલ્સનો સિમેન્ટ પ્લાન્ટ, જે 1993માં મીઠાપુરમાં સ્થપાયો, દેવપરા ગામથી અત્યંત નજીક આવેલો છે. આ પ્લાન્ટમાંથી નીકળતી રજકણો, ઝેરી ગેસ (SO2, NOx), અને કેમિકલયુક્ત ગંદુ પાણીએ આસપાસના ગામોમાં આરોગ્ય સંકટ ઊભું કર્યું છે. દેવપરા ગામના 4,000 રહેવાસીઓ સહિત આસપાસના ગામોમાં કેન્સર, શ્વાસની તકલીફ, ટીબી અને ત્વચાના રોગોમાં વધારો થયો છે. સ્થાનિક આગેવાન દેવરામભાઈ વાલા 15 વર્ષથી આ મુદ્દે લડત આપી રહ્યા છે, પરંતુ ન તો ટાટા કંપની કે ન તો સરકારે તેમની ફરિયાદો સાંભળી.

ખેતી અને પશુપાલન પર અસર

સિમેન્ટ પ્લાન્ટની ધૂળ અને ઝેરી કેમિકલોએ દેવપરા, પાડલી, લાલસિંગપુર, હમુસર, ભીમરાણા સહિતના ગામોની ખેતીની જમીનોની ફળદ્રૂપતા ઘટાડી દીધી છે. અગાઉ ત્રણ ગણું ઉત્પાદન આપતી જમીનો હવે બંજર બની રહી છે. કૂવા, તળાવો અને ભૂગર્ભજળમાં ખારાશ વધી છે, જેના કારણે પીવાનું પાણી અને ખેતી માટેનું પાણી બંને બિનઉપયોગી બન્યા છે. દેવપરા ગામના 2,000 પશુઓ પણ પ્રદૂષણથી પ્રભાવિત થયા છે, જેના કારણે પશુપાલન આધારિત માલધારી સમુદાયની આજીવિકા જોખમમાં છે.

ગૌચર અને પર્યાવરણનો વિનાશ

પાડલી ગામની સીમમાં ખુલ્લી નાળાઓ દ્વારા ઝેરી પાણીનું વહન થાય છે, જે ભૂગર્ભજળ અને તળાવોને દૂષિત કરે છે. સર્વે નં. 27માં ગૌચરની જમીન પર ટાટા કંપનીએ ઘન કચરાના ઢગલા (20 મીટરથી ઊંચા) નાખીને કબજો જમાવ્યો છે. મીઠાના પરિવહન માટે ખુલ્લી ટ્રકોનો ઉપયોગ થાય છે, જેના કારણે રસ્તાઓ અને ખેતીની જમીનો પર મીઠું ફેલાય છે, જે જમીનને વધુ નુકસાન પહોંચાડે છે. પાડલીના ડિસ્ચાર્જ પોઈન્ટ પર 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ઘન કચરાના ઢગલાઓએ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
સરકાર અને પ્રદૂષણ બોર્ડની નિષ્ફળતા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અનેક વખત તપાસ કરવામાં આવી, પરંતુ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. 2012માં ઓખા નગરપાલિકાએ પ્રદૂષણની હકીકતનો અહેવાલ આપ્યો હતો, પરંતુ તેના પર કોઈ પગલાં લેવાયા નથી. GPCBના અધિકારી ભાવાભાઈ સુત્રેજાએ RDS મોનિટરિંગ મશીનનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો, પરંતુ મામલો દબાવી દેવાયો. એવું પણ જાણવા મળ્યું છે કે GPCBના અધિકારીઓ કંપની સાથે સાંઠગાંઠ કરીને તપાસ દરમિયાન પ્લાન્ટ બંધ હોવાનો રિપોર્ટ આપે છે, જેના કારણે પ્રદૂષણનું સાચું ચિત્ર બહાર આવતું નથી.

ગ્રામજનોએ ગાંધીનગરની GPCB કચેરીમાં સહીઓ સાથે અરજીઓ કરી, રૂબરૂ મુલાકાતો લીધી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પર્યાવરણીય મંજૂરી (EC)ની શરતોનું ઉલ્લંઘન, જેમ કે 50 mg/Nm3થી વધુ રજકણોનું ઉત્સર્જન, ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમનો અભાવ, અને ગ્રીન બેલ્ટનું અપૂરતું વિકાસ, સતત નોંધાયું છે. GPCBએ અનેક નોટિસો ફટકારી, પરંતુ ટાટા કંપનીએ આ નિર્દેશોનું પાલન કર્યું નથી.

આરોગ્ય અને સામાજિક અસર

સિમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતી ધૂળ અને ઝેરી ગેસે ગામલોકોમાં કેન્સર, શ્વાસની તકલીફ, અને ટીબી જેવા રોગોનું પ્રમાણ વધાર્યું છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો બહાર નીકળી શકતા નથી. દેવપરા અને સુરજકરાડીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. માલધારી સમુદાયના લોકો, જેઓ પશુપાલન પર નિર્ભર છે, તેમનું જીવન પણ જોખમમાં છે. 2017માં દાનાભાઈ આલાભાઈ ચાનપાએ દ્વારકા પંચાયતની ન્યાય સમિતિમાં જાહેર કર્યું હતું કે ખેતી લાયક જમીનો અને પીવાલાયક પાણી બચ્યું નથી.

સરકારની નિષ્ક્રિયતા

ગ્રામજનોની વારંવારની ફરિયાદો છતાં ભાજપની સરકારો, ખાસ કરીને હાલની ભૂપેન્દ્ર પટેલ સરકાર, કંપની સામે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. આરોપ છે કે ટાટા કંપની પક્ષ માટે ફંડ આપે છે, જેના કારણે સરકાર અને GPCB કંપનીની તરફેણ કરે છે. 2020-21માં સબમિટ કરેલા એક્શન પ્લાનનું પણ પાલન થયું નથી. ગુજરાત, જે દેશમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓમાં બીજા ક્રમે છે, દર વર્ષે 2,500 મેટ્રિક ટન રજકણો અને 1,038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઇડ હવામાં ઉમેરે છે, જેનો મોટો હિસ્સો ઔદ્યોગિક પ્રદૂષણમાંથી આવે છે.

ગ્રામજનોની માંગ

ટાટા કંપનીએ પર્યાવરણીય નિયમોનું પાલન કરવું.

ગ્રીન બેલ્ટનું વિસ્તરણ અને બાઉન્ડ્રી વોલની ઊંચાઈ વધારવી.

ગૌચરની જમીન પરનો કચરો હટાવવો અને વળતર આપવું.

ઝેરી પાણી અને રજકણોના ઉત્સર્જન પર નિયંત્રણ.

પ્રદૂષણથી પ્રભાવિત લોકોને આરોગ્ય સુવિધા અને વળતર.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો:

UP: કેનાલ પાસેથી સુટકેશ મળી, અંદર જોયું તો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના!

Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!

મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

 

Related Posts

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!
  • January 22, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી…

Continue reading
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ
  • January 22, 2026

Narendramodi: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પની હાજરી હતી પણ નરેન્દ્ર મોદી ગાયબ છે. અલબત્ત પીએમ મોદીની ગેરહાજરીમાં, ભારતનું પ્રતિનિધિત્વ એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો