
Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજરોજ તા. ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે.
■ ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો આ મુજબ છે,વાંચો
જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬ અને
ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.
જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે.
મતદાન તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી થશે અને જો જરૂરી ગણાય તેવા કિસ્સામાં પુનઃ મતદાન તા.૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ થઈ શકશે.
જ્યારે મતગણતરી અને પરિણામ તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦ એપ્રિલ ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે.
■ ચૂંટણીની મુખ્ય વિગતો નીચે મુજબ છે,વાંચો
કુલ બેઠકો: આશરે ૧૦,૦૦૫ બેઠકો પર ચૂંટણી યોજાશે (કેટલાક સ્ત્રોત મુજબ ૯,૯૯૨ બેઠકો).
મતદારોની સંખ્યા: રાજ્યના આશરે ૪.૧૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
■ચૂંટણી હેઠળની સંસ્થાઓ
૧૫ મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ૯ નવી બનેલી પાલિકાઓ જેમ કે આણંદ, મોરબી, વગેરે).
૮૪ નગરપાલિકાઓ.
૩૪ જિલ્લા પંચાયતો.
૨૬૦ તાલુકા પંચાયતો.
આ ચૂંટણીમાં OBC અનામતના નવા રોટેશન મુજબ પ્રથમવાર અમલ કરવામાં આવશે, જેમાં ૭ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકામાં મલ્ટી-EVM સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે આમ,ચૂંટણીઓ હવે ડિકલેર થઈ ચૂકી છે પરિણામે રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે.
આ સાથેજ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે જે મુજબ, શાસક પક્ષ કે સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપી શકશે નહીં, ઉપરાંત ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થઈ શકશે નહીં.
આ સિવાય કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.
રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે સાથેજ ચૂંટણીની કામગીરી દરમિયાન સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ થઈ શકશે નહીં. ઉપરાંત મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ નહિ કરી શકાય.
આ નિયમોનું તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









