
ગુજરાતમાં સોમનાથ(somanath) મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ પર તાજેતરમાં બુલડોઝર ફેરવી દેવાયું હતુ. ત્યાર બાદ મુસ્લીમ(muslim) પક્ષ દ્વારા જ્યા દબાણો હટાવ્યા ત્યા વાર્ષિક ઉર્સ ઉજવવાની પરવાનગી માગી હતી. જો કે આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે, ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરતી અરજી પણ ફગાવી દીધી છે.
આ અરજીમાં, મુસ્લિમ પક્ષે ગીર સોમનાથ નજીક દરગાહ ખાતે 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન વાર્ષિક ઉર્સ ઉજવવાની પરવાનગી માંગી હતી. મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અહીં વર્ષોથી ઉર્સ ઉજવવામાં આવે છે પરંતુ વહીવટીતંત્રે ગઈકાલે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. વહીવટીતંત્ર કહે છે કે ત્યાં કોઈ દરગાહ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય.
આ પણ વાંચોઃ મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ: હરીગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ