FARMER ISSUES: ભારતીય કિસાન યુનિયનના નેતા ચૌધરી હરપાલ સિંહ સહિત અન્ય BKU નેતાઓ એ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તાજેતરના વેપાર કરારને ભારતીય કૃષિ અને સ્થાનિક ખેડૂતો માટે હાનિકારક ગણાવ્યો છે. તેઓ માને છે કે સસ્તા અમેરિકન ઉત્પાદનો (જેમ કે સોયાબીન અને ડેરી) ભારતમાં આયાત થશેતો સ્થાનિક ખેડૂતો બરબાદ થઈ જશે.ચૌધરી હરપાલ સિંહે ચિંતા વ્યક્ત કરી છે કે આ કરાર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ ખેડૂતો અને પશુપાલકો પર સીધો હુમલો છે, જેઓ પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ભારતીય કિસાન યુનિયન અને અન્ય સંગઠનોએ યુએસ-ભારત વેપાર કરારનો વિરોધ કર્યો છે.યુએસ કૃષિ ઉત્પાદનોની આયાત સોયાબીન, મકાઈ અને કપાસ જેવા પાકોના સ્થાનિક ભાવમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા છે, જે પહેલાથી જ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) થી નીચે વેચાઈ રહ્યા છે.
અમેરિકન દૂધ અને ડેરી ઉત્પાદનોનો ધસારો નાના ભારતીય ડેરી ખેડૂતોની આજીવિકાને જોખમમાં મૂકી શકે છે.ઉત્તર પ્રદેશમાં ભારતીય કિસાન યુનિયનના નેતાઓએ આને કૃષિ ક્ષેત્ર માટે “અસ્તિત્વનો ખતરો” ગણાવ્યો છે.ખેડૂત આગેવાનોએ 2020-2021ના આંદોલનની જેમ જ અમેરિકા સાથે થયેલા સામે રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.આ અંગે
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા





