Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

  • India
  • May 8, 2025
  • 2 Comments

Firing at LOC: પાકિસ્તાની સૈનિકોએ(Pakistani army)  ગુરુવારે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)  કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા સૈનિક દિનેશ કુમાર શહીદ થયા હતા.

હજુ પણ પાકિસ્તાનની અકડ એવી ને એવી !

ભારત તરફથી વારંવાર જડબાતોડ જવાબ મળવા છતાં, પાકિસ્તાનમાં કોઈ સુધારો થયો નથી. જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાની સેના બોખલાયેલી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હવે ભારતમાં નાગરિકો અને ઘરો પર બંદૂકો અને તોપના ગોળાથી હુમલો કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનનના નો યોગ્ય જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની બાજુ ભારે વિનાશ વેર્યો છે.

આ વિસ્તારોમાં કર્યો  ગોળીબાર

પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ફરી  જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની તેની ચોકીઓ પરથી નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, આ સતત 13મો દિવસ છે જ્યારે પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો છે.

એક સૈનિક શહીદ, કુલ 15 લોકોના મોત

પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામડાઓ અને નાગરિકોને નિશાન બનાવીને ભારે તોપમારો, તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓના હવાલાથી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના ગોળીબારમાં એક સૈનિક સહિત ઓછામાં ઓછા 15લોકો માર્યા ગયા અને 57 અન્ય ઘાયલ થયા છે.

ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ થયો

પાકિસ્તાનના ગોળીબારનું સૌથી મોટું લક્ષ્ય ઉત્તર કાશ્મીરના પૂંછ, રાજૌરી, બારામુલ્લા અને કુપવાડાના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો છે. પૂંછ શહેરમાં ગુરુદ્વારા અને આસપાસના ઘરો પર તોપમારો પડતાં ત્રણ શીખોના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહી છે, જેમાં દુશ્મન પક્ષના ઘણા લોકો માર્યા ગયા છે. ગોળીબારમાં સામેલ તેમની ઘણી પોસ્ટ્સનો નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત