
Mayabhai Ahir: કડીના ઝુલાસણ ગામે ગત રાત્રે ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની તબિયત સારી છે. તબિયત સુધારા પર છે. તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. વિડિયો શેર કરી હેલ્થ અપટેડ આપતાં ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મહેસાણાના કડીના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમવારે રાત્રે માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતુ. જ્યાં અચાનક તેમની તબિયત લથડતાં અમદાવાદની ખાનગી એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
ડાયરો છૂડ્યા પહેલા માગી હતી માફી
ચાલુ ડાયરામાં તેઓએ કહ્યું હતું કે, મારી તબિયત જિંદગીમાં પહેલીવાર બગડી છે જે માટે આપ બધાની માફી માગુ છું. મારો કોઈ જ એવો ઇરાદો નથી કે હું અહીંયાથી નીકળી શકું, હું અહીંયાથી આપ બધાને અને દાતાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું, અહીંયા આગળ હવે રાસ ગરબા બધા રમજો અને તમામની હું ક્ષમા માગું છું.
આ પણ વાંચોઃ Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો
આ પણ વાંચોઃ Patan: ચાણસ્માના વડાલીમાં 4 બાળક સહિત 5નો જનાજો નીકળ્યો, પરિવારમાં રોકકળ