
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણીનો આવતીકાલ 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. ત્યારે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર છેલ્લા બે દિવસથી નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મંગળવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું હતું અને ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમનાર છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને સ્મૃતિ મંધાના કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. જ્યારે દીપ્તિ શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ આજ સુધી આયર્લેન્ડ મહિલા ટીમ સામે ક્યારેય ODI મેચ હારી નથી.
ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી જંગ જામશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ કાલથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ બન્ને ટીમો દ્વારા આજે નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોસ, તેજલ હસબનીસ, મીન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતઘરેનો સમાવેશ થાય છે.
આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ
ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલની, જ્યોર્જિના ડેમ્પસી, સારાહ ફોબ્ર્સ, આર્લિન કેલી, જોના લોઘરન, ઈમી મગુરી, લેહ પોલ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટોકેલનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન પાર્કિંગ માટે કેમ નથી વ્યવસ્થા?