FSTC Training Center: આજે ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી માટે પડદા પાછળ સરકાર જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે.હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે અને આખો દેશ પરેશાન છે પણ ઇન સાઈડ સ્ટોરી કઈક અલગ છે ઈન્ડિગોમાં અચાનક પાયલોટ કેમ ઘટી ગયા તે મુખ્ય મુદ્દો છે.
કેમકે,સરકારે અચાનક ઈન્ડિગોના પાયલોટ યોગ્ય તાલીમ પામેલા નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્ય વાત છે અને આ વાત અચાનક કેમ સામે સામે આવી તે વાત પણ વિચાર માંગી લે તેવી છે અને આ વાત જ આ આખી હડતાળ પાછળ નું કારણ હોવાનું માનવામાં આવે છે,ઈન્ડિગો ની હાલ સર્જાયેલી પરિસ્થિતિ અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે ‘હાલના પાયલોટને વધુ તાલીમની જરૂર છે’ જે ઈન્ડિગો ને ખર્ચ પરવડે તેમ નથી
આ આખા મામલામાં અદાણીની પાઇલોટ તૈયાર કરતી FSTC કંપનીને ફાયદો થાય તે મુજબ સરકારે માહોલ બનાવતા આ સ્થિતિ સર્જાઈ હોવાનો તર્ક વહેતો થયો છે.
મહત્વનું છે FSTC ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન પ્રદાતા છે, જે 11 ફુલ-ફ્લાઇટ સિમ્યુલેટર અને 17 તાલીમ વિમાન ચલાવે છે. DGCA અને યુરોપના EASA દ્વારા પ્રમાણિત છે જે ગુરુગ્રામ અને હૈદરાબાદમાં આધુનિક પાયલોટ તાલીમ કેન્દ્રો ચલાવે છે અને હરિયાણાના ભિવાની અને નારનૌલમાં મુખ્ય ઉડ્ડયન શાળાઓનું પણ સંચાલન કરે છે.
આ કંપનીમાં રૂ.800 કરોડનું રોકાણ કરી અદાણીએ 72 ટકા હીસ્સો ખરીદી લીધો છે પરિણામે હવે અદાણી નવા પાયલોટ તૈયાર કરશે.સરકારે ઈન્ડિગોના 1700 પાયલોટમાં ખામી હોવાનું કહી વધુ તાલીમની જરૂર હોવાનું કહેતા પાયલોટની કટોકટી સર્જાઈ અને હાલ હવાઈ ક્ષેત્રે બધું ખોરવાઈ ગયું છે,મતલબ હવે પાયલોટ તાલીમ માટે અદાણી કહે તેમ કરવું પડશે.
આમ,અદાણીને ફાયદો કરાવવા માટે સરકારના પ્રયાસો હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જુઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો








